પવનથી અન્ય પર્વતો હલી શકે છે, પરંતુ સુમેરૂ પર્વતને ચલાયમન કરી
શકાતો નથી. ૧૫.
कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि
दीपोऽपरस्त्वमसि नाथ जगत्प्रकाशः
નીકળે છે અને આપનો પ્રકાશ નિર્ધૂમ છે, ધૂમાડા વગરનો છે, પાપરહિત
છે. બીજા દીવાઓમાં તેલની જરૂર રહે છે પરંતુ આપમાં તેની તેની જરૂર
રહેતી નથી. બીજા દીવાઓ બહુ જ થોડી જગ્યા પ્રકાશિત કરે છે; જ્યારે
આપ સમગ્ર ત્રણ લોકને પ્રકાશિત કરો છો; એ સિવાય બીજા દીવાઓ
એક સાધારણ હવાની ઝપટથી બુઝાઈ જાય છે, પરંતુ આપના પ્રકાશને
તો મોટા મોટા પર્વતો હલાવી નાંખે એવી હવા પણ કંઈ બગાડ કરી શકતી
નથી. ૧૬.
सूर्यातिशायिमहिमासि मुनींद्र ! लोके