Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 20 of 105
PDF/HTML Page 28 of 113

 

background image
૨૦ ][ પંચસ્તોત્ર
કાન્તિને જીતવાવાળી, આપની તેજસ્વી પ્રભામંડળની અનંત પ્રભા ત્રણે
જગતના તેજસ્વી પદાર્થોના તેજને ઝાંખું પાડે છે તે આપની કાન્તિ
એકસાથ ઉગેલા અનેક સૂર્યોની માફક તેજસ્વી છે, અને ચંદ્રના જેવી
શીતળ ચાંદની રાતને પણ પરાજિત કરે તેવી છે અર્થાત્ આપની પ્રભા
સૂર્યથી પણ અધિક તેજસ્વી હોવાથી લોકોને સંતાપ કરતી નથી અર્થાત્ તે
બહુ જ શીતળ છે. ૩૪.
स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टः
सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः
दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व
भाषास्वभावपरिणामगुणैः प्रयोज्यः ।।३५।।
જે સ્વર્ગ - મોક્ષસમ માર્ગ જ શોધી આપે,
સદ્ધર્મ તત્ત્વકથવે પટુ ત્રૈણ લોકે;
દિવ્યધ્વનિ તુજ થતો વિશદાર્થ સર્વ,
ભાષા - સ્વભાવ - પરિણામ ગુણોથી યુક્ત. ૩૫.
ભાવાર્થ :હે નાથ! સ્વર્ગ અને મોક્ષના માર્ગને બતાવનારા તથા
ત્રિભુવનના લોકોને શ્રેષ્ઠ ધર્મ તત્ત્વનો ઉપદેશ કરવામાં સમર્થ આપની
દિવ્યધ્વનિ સ્વભાવથી જ બધી ભાષાઓમાં પરિણમી જાય છે તેથી
સંસારના બધા પ્રાણીઓ પોતપોતાની ભાષાઓમાં તેને વિસ્તારપૂર્વક સમજી
જાય છે એ આપનો અચિંત્ય પ્રભાવ છે. ૩૫.
उन्निद्रहेमनवपंकजपुंजकांती
पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ
पादौ पदानी तव यत्र जिनेंद्र धत्तः
पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति
।।३६।।
ખીલેલ હેમ કમળો સમ કાન્તિવાળા,
ફેલી રહેલ નખતેજ થકી રૂપાળા;