ભક્તામરસ્તોત્ર ][ ૨૫
अंभोनिधौ क्षुभितभीषणनक्रचक्र –
पाठीनपीठभयदोल्वणवाडवाग्नौ ।
रंगतरंगशिखरस्थितयानपात्रा –
स्रासं विहाय भवतः स्मरणाद् वृजन्ति ।।४४।।
જ્યાં ઉછળે મગરમચ્છ તરંગ ઝાઝા,
ને વાડવાગ્નિ ભયકારી થકી ભરેલા;
એવા જ સાગર વિષે સ્થિત નાવ જે છે,
તે નિર્ભયે તુજ તણા સ્મરણે તરે છે. ૪૪.
ભાવાર્થ : — ભયંકર મગમચ્છ આદિ જળચર પ્રાણીઓ જેની અંદર
ઉછળી રહ્યા છે અને ભયાનક વડવાગ્નિ જેની અંદર વસે છે એવા ભયંકર
સાગર મધ્યે વહાણમાંનાં માણસો આવી પડેલા હોય છે તે પણ આપના
સ્મરણથી નિર્ભયપણે જોખમાયા વગર તરીપાર જઈ શકે છે. ૪૪.
उद्भूतभीषणजलोदरभारभुग्नाः
शोच्यां दशामुपगताश्च्युतजीविताशाः ।
त्वत्पादपंकजरजोऽमृतदिग्धदेहा
मर्त्या भवंति मकरध्वजतुल्यरुषाः ।।४५।।
જે છે નમ્યા ભયદ રોગ જલોદરેથી
પામ્યા દશા દુઃખદ આશ ન દેહે તેથી;
ત્વત્પાદ – પદ્મ રજ અમૃત નિજ દેહે
ચોળે બને મનુજ કામ સમાન રૂપે. ૪૫.
ભાવાર્થ : — પ્રભો! જે માણસો ભયંકર જળોદર વગેરે દર્દના
ભારથી દુઃખી થઈ ગયા છે, અને જેમની સ્થિતિ અત્યંત શોચનીય થઈ
ગઈ છે અથવા જેઓ પોતાના જીવનથી સર્વથા નિરાશ થઈ ગયા છે એવા
મનુષ્યો પણ આપના ચરણકમળોની રજ – ધૂળ પણ પોતાના શરીર પર
લગાડવાથી કામદેવ જેવા સુંદર થઈ જાય છે. ૪૫.