કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૨૯
અર્થ : — કલ્યાણોના મંદિર, ઉદાર, પાપોનો નાશ કરનાર,
સંસારના દુઃખોથી ડરનારાઓને નિર્ભય પદ આપનાર, અનિંદ્ય (અતિશય
સુંદર) અને સંસાર - સમુદ્રમાં ડૂબતા સર્વ જીવોનો ઉદ્ધાર કરવામાં જહાજ
સમાન જિનેન્દ્ર ભગવાનના ચરણકમળોને નમસ્કાર કરીને, જે સાક્ષાત્
મહિમાના સમુદ્ર છે, જેમની સ્તુતિ કરવાને સ્વયં વિશાળબુદ્ધિ (બાર
અંગના જ્ઞાતા) બૃહસ્પતિ પણ સમર્થ નથી, જેમણે કર્મઠનો ગર્વ
ભસ્મીભૂત કર્યો હતો તે પાર્શ્વનાથ તીર્થંકરની આશ્ચર્યની વાત છે કે હું
સ્તુતિ કરું છું. ૧ – ૨.
सामान्यतोऽपि तव वर्णयितु स्वरूप -
मस्मादृशाः कथमधीश ! भवन्त्यधीशाः ।
धृष्ठोऽपि कौशिकशिशुर्यदि वा दिवान्धो,
रूपं प्ररूपयति किं किल घर्मरश्मेः ।।३।।
(મંદાક્રાંતા)
સામાન્યેથી પણ સ્વરૂપ તો વર્ણવા તારું અત્ર,
કેવી રીતે અમ સરિખડા નાથ હે! થાય શકત?
ધીઠો તોયે ઘુવડ શિશુ રે! દિવસે આંધળો જે,
શું ભાનુનું સ્વરૂપ પ્રરૂપે નિશ્ચયે એહવો તે? ૩.
અર્થ : — હે સ્વામી! મારા જેવો અલ્પબુદ્ધિ સામાન્યપણે પણ
આપના ગુણોનું વર્ણન કરવા કેવી રીતે સમર્થ થઈ શકે? અર્થાત્ થઈ શકે
નહિ, જેમ દિવસે જે દેખી શકતું નથી એવું ઘુવડનું બચ્ચું ધીઠ થઈને પણ
શું સૂર્યના બિંબનું વર્ણન કરી શકે છે? ૩.
मोहक्षयादनुभवन्नपि नाथ ! मर्त्यो,
नूनं गुणान्गणयितुं न तव क्षमेत ।
कल्पान्तवान्तपयसः प्रकटोऽपि यस्मा -
न्मीयेत केन जवधेर्ननु रत्नराशिः ।।४।।