૩૨ ][ પંચસ્તોત્ર
हृद्वर्तिनि त्वयि विभो ! शिथिलीभवन्ति,
जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः ।
सद्यो भुजङ्गममया इव मध्यभाग —
मभ्यागते वनशिखण्डिनि चन्दनस्य ।।८।।
પ્રાણીઓના નિબિડ પણ તે કર્મબંધો અહા! હ્યાં,
વિભુ થાયે શિથિલ ક્ષણમાં વર્તતા તું હૃદામાં;
રે! શિખંડી સુખડવનની મધ્યમાં આવી જાતાં,
જેવી રીતે ભુજગમય તે શીઘ્ર શિથિલ થાતાં. ૮.
અર્થ : — જેમ મોરના આગમનમાત્રથી જ ચંદનના વૃક્ષોને
વિંટળાયેલા સર્પોની પકડ તત્કાલ ઢીલી થઈ જાય છે તેવી જ રીતે હે
પ્રભો! આપ જ્યારે ભવ્ય જીવોના મનમંદિરમાં નિવાસ કરો છો ત્યારે
તેમના દ્રઢ કર્મોના બંધન પણ તત્ક્ષણ ઢીલાં પડી જાય છે. ૮.
मुच्यन्त एव मनुजाः सहसां जिनेन्द्र, !
रौद्रेरूपद्रवशतैस्त्वयि वीक्षितेऽपि ।
गोस्वामिनि स्फु रिततेजसि दृष्टमात्रेः
चोरैरिवाशु पशवः प्रपलायमानैः ।।९।।
મૂકાયે છે મનુજ સહસા રૌદ્ર ઉપદ્રવોથી,
અત્રે સ્વામી! જિનપતિ! તને માત્ર નિરીક્ષવાથી;
ગોસ્વામીને સ્ફુરિત પ્રભને માત્ર અત્રે દીઠાથી,
જેવી રીતે ઝટ પશુગણો ભાગતા ચોરટાથી. ૯.
અર્થ : — જેમ ગોસ્વામીને (તેજસ્વી સૂર્ય, પ્રતાપી રાજા અથવા
બળવાન ગોવાળિયાઓને) દેખતાં જ ભયભીત થઈને શીઘ્ર ભાગી જતા
ચોરોના પંજામાંથી ગાય, ભેંસ આદિ પશુઓ મુક્ત થઈ જાય છે તેવી જ
રીતે હે જિનેન્દ્ર! આપના સમ્યક્ પ્રકારે દર્શન કરતાં જ મનુષ્યો મહા
ભયાનક સેંકડો ઉપદ્રવોથી તત્કાલ મુક્તિ પામે છે. ૯.