Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 33 of 105
PDF/HTML Page 41 of 113

 

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૩
त्वं तारको जिन कथं भविनां त एव,
त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः
यद्वा दृतिस्तरति यज्जलमेष नून
मन्तर्गतस्य मरुतः स किलानुभावः ।।१०।।
કેવી રીતે ભવિજન તણો જિન! તું તારનાર?
ધારે તેઓ હૃદમહિં તને ઊતરે જેથી પાર;
વા એહી જે મશક તીરની નીરને નક્કી સાવ,
છે તે અંતર્ગત મરુતનો નિશ્ચયે જ પ્રભાવ. ૧૦.
અર્થ :જેમ પોતાની અંદર ભરેલા પવનના બળથી મશક
પાણીમાં તરે છે તેવી જ રીતે હે જિનવર! ભવ્ય જીવ આપને પોતાના
હૃદયમાં ધારણ કરીને સંસાર સમુદ્ર તરી જાય છે. ૧૦.
यस्मिन्हरप्रभृतयोऽपि हतप्रभावाः,
सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन
विध्यापिता हुतभुजः पयसाथ येन,
पीतं न किं तदपि दुर्द्धरवाडवेन
।।११।।
જેની પાસે શિવપ્રમુખ સૌ છે પ્રભાવે વિહીન,
તુંથી તેહ રતિપતિ ક્ષણે સર્વથા કીધ ક્ષીણ;
અગ્નિઓ જે જલ થકી અહો! નિશ્ચયે બૂઝવાય,
રે! શું તેહ દુઃસહ વડવાવહ્નિથી ના પીવાય! ૧૧.
અર્થ :જે કામદેવે હરિ, હરાદિ પ્રમુખ દેવોને પણ શક્તિ હીન
કરી નાખ્યા હતા તે કામદેવનો પણ આપે ક્ષણવારમાં નાશ કર્યો. તે યોગ્ય
જ છે કેમ કે જે પાણી અનેક અગ્નિઓને ઓલવી નાખે છે તે જ પાણી
સમુદ્રમાં પહોંચતાં સમુદ્રની મધ્યમાં રહેલા પ્રચંડ વડવાનળથી શોષાઈ જાય
છે. ૧૧.