Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 35 of 105
PDF/HTML Page 43 of 113

 

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૫
જાય છે તેવી જ રીતે સ્વભાવની મહાશાંતિમાં મગ્ન રહીને પણ આપે
કર્મોનો નાશ કરી નાખ્યો છે. ૧૩.
त्वां योगिनो जिन सदा परमात्मरूप
मन्वेषयन्ति हृदयाम्बुजकोशदेशे
पूतस्य निर्मलरुचेर्यदि वा किमन्य
दक्षस्य संभवपदं ननु कर्णिकायाः ।।१४।।
યોગીઓ તો જિનપતિ! સદા તું પરાત્મારૂપીને,
રે! શોધે છે હૃદયકજના કોશદેશે ફરીને;
શું કર્ણિકા વિણ અપર રે! સંભવે છે અનેરૂં,
સ્થાન હ્યાં તો પુનિત અમલા અબ્જના બીજ કેરૂં? ૧૪.
અર્થ :હે જિનેશ! મહર્ષિઓ સદા પરમાત્મસ્વરૂપ આપને
પોતાના હૃદયકમળના મધ્યભાગમાં (જ્ઞાનનેત્રદ્વારા) શોધે છે. તે યોગ્ય જ
છે કેમ કે જેમ પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળના બીજનું ઉત્પત્તિસ્થાન
કમળની કર્ણિકા જ છે તેમ શુદ્ધાત્માને શોધવાનું સ્થાન હૃદયકમળનો
મધ્યભાગ જ છે. ૧૪.
ध्यानाज्जिनेश भवतो भविनः क्षणेन,
देहं विहाय परमात्मदशां व्रजन्ति
तीव्रानलादुपलभावमपास्य लोके,
चामीकरत्वमचिरादिव धातुभेदाः
।।१५।।
પામે ભવ્યો ક્ષણમહિં પ્રભુ હે! પરાત્માદશાને,
જિનેશા હે! શરીર તજીને આપશ્રીના જ ધ્યાને;
તીવ્રાગ્નિથી તજી દઈ અહો! ભાવ પાષાણ કેરો,
પામે લોકે ઝટ કનકતા જે રીતે ધાતુભેદો. ૧૫.
અર્થ :હે સ્વામી! જેમ લોકમાં તીવ્ર અગ્નિના સંબંધથી જુદા