૩૬ ][ પંચસ્તોત્ર
જુદા પ્રકારની ધાતુઓ (જેમાં સોનું બનવાની યોગ્યતા છે તે પોતાનું
પત્થરરૂપ છોડીને શીઘ્ર જ સ્વયં સ્વર્ણ બની જાય છે તેવી જ રીતે હે પ્રભો!
આપના (નિજ શુદ્ધાત્માના) ધ્યાનથી સંસારી જીવ તત્ક્ષણ શરીર છોડીને
પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ૧૫.
अन्तः सदैव जिन यस्य विभाव्यसे त्वं,
भव्यै कथं तदपि नाशयसे शरीरम् ।
एतत्स्वरूपमथ मध्यविवर्तिनो हि,
यद्विग्रहं प्रशमयन्ति महानुभावाः ।।१६।।
જેની અંતઃ ભવિ થકી સદા તું વિભાવાય ભાવે,
જિનેશા હે! શરીર પણ તે નાશ કાં તું કરાવે?
વા વર્ત્તે આ નકી અહીં અરે! મધ્યવર્ત્તિ સ્વરૂપ,
મ્હાનુભાવો વિગ્રહ શમવે સર્વથા જિનભૂપ! ૧૬.
અર્થ : — હે દેવાધિદેવ! ભવ્ય પ્રાણીઓ જે શરીરની મધ્યમાં સદૈવ
આપનું ધ્યાન કરે છે તે શરીરનો જ આપ કેમ નાશ કરાવો છો? અથવા
એ બરાબર જ છે કે મધ્યસ્થ મહાનુભાવોનો એ સ્વભાવ જ હોય છે કે
તેઓ વિગ્રહને શાંત જ કરી નાખે છે અર્થાત્ આ શરીરમાં રહીને આત્મા
આપનું (નિજ શુદ્ધાત્માનું) ધ્યાન કરે છે અને પરિણામે જન્મ-મરણ જે
શરીરના ધર્મ છે તેમનાથી આત્માને સદાને માટે મુક્તિ મળી જાય છે, એ
જ આપની મધ્યસ્થતા છે. ૧૬.
आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्धया,
ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः ।
पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं,
किं नाम नो विषविकारमपाकरोति ।।१७।।
આ આત્મા તો મનીષિ જનથી તુંથી નિર્ભેદ ભાવે,
ધ્યાયાથી હે જિનવર! બને તુજ જેવો પ્રભાવે.