Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 36 of 105
PDF/HTML Page 44 of 113

 

background image
૩૬ ][ પંચસ્તોત્ર
જુદા પ્રકારની ધાતુઓ (જેમાં સોનું બનવાની યોગ્યતા છે તે પોતાનું
પત્થરરૂપ છોડીને શીઘ્ર જ સ્વયં સ્વર્ણ બની જાય છે તેવી જ રીતે હે પ્રભો!
આપના (નિજ શુદ્ધાત્માના) ધ્યાનથી સંસારી જીવ તત્ક્ષણ શરીર છોડીને
પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ૧૫.
अन्तः सदैव जिन यस्य विभाव्यसे त्वं,
भव्यै कथं तदपि नाशयसे शरीरम्
एतत्स्वरूपमथ मध्यविवर्तिनो हि,
यद्विग्रहं प्रशमयन्ति महानुभावाः
।।१६।।
જેની અંતઃ ભવિ થકી સદા તું વિભાવાય ભાવે,
જિનેશા હે! શરીર પણ તે નાશ કાં તું કરાવે?
વા વર્ત્તે આ નકી અહીં અરે! મધ્યવર્ત્તિ સ્વરૂપ,
મ્હાનુભાવો વિગ્રહ શમવે સર્વથા જિનભૂપ! ૧૬.
અર્થ :હે દેવાધિદેવ! ભવ્ય પ્રાણીઓ જે શરીરની મધ્યમાં સદૈવ
આપનું ધ્યાન કરે છે તે શરીરનો જ આપ કેમ નાશ કરાવો છો? અથવા
એ બરાબર જ છે કે મધ્યસ્થ મહાનુભાવોનો એ સ્વભાવ જ હોય છે કે
તેઓ વિગ્રહને શાંત જ કરી નાખે છે અર્થાત્ આ શરીરમાં રહીને આત્મા
આપનું (નિજ શુદ્ધાત્માનું) ધ્યાન કરે છે અને પરિણામે જન્મ-મરણ જે
શરીરના ધર્મ છે તેમનાથી આત્માને સદાને માટે મુક્તિ મળી જાય છે, એ
જ આપની મધ્યસ્થતા છે. ૧૬.
आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्धया,
ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः
पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं,
किं नाम नो विषविकारमपाकरोति
।।१७।।
આ આત્મા તો મનીષિ જનથી તુંથી નિર્ભેદ ભાવે,
ધ્યાયાથી હે જિનવર! બને તુજ જેવો પ્રભાવે.