Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 37 of 105
PDF/HTML Page 45 of 113

 

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૭
અત્રે પાણી પણ અમૃત આ એમ રે! ચિંતવાતું,
નિશ્ચેથી શું વિષવિકૃતિને ટાળનારું ન થાતું? ૧૭.
અર્થ :જેમ પાણી પણ ‘આ અમૃત છે’ એવી અતૂટ શ્રદ્ધા
રાખવાથી વિષના વિકારથી ઉત્પન્ન થતી પીડાનો નાશ કરી નાખે છે તેવી
જ રીતે હે ભગવાન્! આ સંસારમાં જ્યારે યોગીજનો અભેદ બુદ્ધિથી
આપનું ધ્યાન કરે છે ત્યારે પોતાના આત્માને આપની સમાન ચિંતવીને
આપના જેવા થઈ જાય છે. ૧૭.
त्वामेव वीततमसं परवादिनोऽपि,
नूनं विभो हरिहरादिधिया प्रपन्नाः
किं काचकामलिभिरीश सितोऽपि शंखो,
नो गृह्यते विविधवर्णविपर्ययेण ।।१८।।
વિભુ તુંહી તમરહિતને વાદીઓએ અનેરા,
નિશ્વે શંભુ હરિ પ્રમુખની ધીથી માની રહેલા;
ધોળો શંખે તદપિ કમળાયુક્તથી જિનરાય!
નાના વર્ણે વિપરીત મતિએ ન શું તે ગ્રહાય? ૧૮.
અર્થ :જેમ કમળાનો રોગ જેને થયો હોય તે વ્યક્તિ સફેદ
વર્ણવાળા શંખને પણ લીલા, પીળા વગેરે વિપરીત વર્ણોવાળો કલ્પનાબુદ્ધિથી
દેખે છે તેવી જ રીતે હે સ્વામી! રાગદ્વેષાદિ અંધકારરહિત (પરમ વીતરાગ
એવા) આપને અન્યમતિ (મિથ્યાત્વાદિ રોગથી તેમનું ચિત્ત ગ્રસાયું હોવાથી)
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિની બુદ્ધિથી પૂજે છે. ૧૮.
धर्मोपदेशसमये सविघानुभावा
दास्तां जनो भवति ते तरुरप्यशोकः
अभ्युद्गते दिनपतौ समहीरुहोऽपि,
किं वा विबोधमुपयाति न जीवलोकः
।।१९।।