કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૭
અત્રે પાણી પણ અમૃત આ એમ રે! ચિંતવાતું,
નિશ્ચેથી શું વિષવિકૃતિને ટાળનારું ન થાતું? ૧૭.
અર્થ : — જેમ પાણી પણ ‘આ અમૃત છે’ એવી અતૂટ શ્રદ્ધા
રાખવાથી વિષના વિકારથી ઉત્પન્ન થતી પીડાનો નાશ કરી નાખે છે તેવી
જ રીતે હે ભગવાન્! આ સંસારમાં જ્યારે યોગીજનો અભેદ બુદ્ધિથી
આપનું ધ્યાન કરે છે ત્યારે પોતાના આત્માને આપની સમાન ચિંતવીને
આપના જેવા થઈ જાય છે. ૧૭.
त्वामेव वीततमसं परवादिनोऽपि,
नूनं विभो हरिहरादिधिया प्रपन्नाः ।
किं काचकामलिभिरीश सितोऽपि शंखो,
नो गृह्यते विविधवर्णविपर्ययेण ।।१८।।
વિભુ તુંહી તમરહિતને વાદીઓએ અનેરા,
નિશ્વે શંભુ હરિ પ્રમુખની ધીથી માની રહેલા;
ધોળો શંખે તદપિ કમળાયુક્તથી જિનરાય!
નાના વર્ણે વિપરીત મતિએ ન શું તે ગ્રહાય? ૧૮.
અર્થ : — જેમ કમળાનો રોગ જેને થયો હોય તે વ્યક્તિ સફેદ
વર્ણવાળા શંખને પણ લીલા, પીળા વગેરે વિપરીત વર્ણોવાળો કલ્પનાબુદ્ધિથી
દેખે છે તેવી જ રીતે હે સ્વામી! રાગદ્વેષાદિ અંધકારરહિત (પરમ વીતરાગ
એવા) આપને અન્યમતિ (મિથ્યાત્વાદિ રોગથી તેમનું ચિત્ત ગ્રસાયું હોવાથી)
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિની બુદ્ધિથી પૂજે છે. ૧૮.
धर्मोपदेशसमये सविघानुभावा –
दास्तां जनो भवति ते तरुरप्यशोकः ।
अभ्युद्गते दिनपतौ समहीरुहोऽपि,
किं वा विबोधमुपयाति न जीवलोकः ।।१९।।