Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 39 of 105
PDF/HTML Page 47 of 113

 

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૯
पीत्वा यतः परमसंमदसङ्गभाजा,
भव्या व्रजन्ति तरसाप्यजरामरत्वम्
।।२१।।
સ્થાને છે આ ગંભીર હૃદયાબ્ધિ થકી ઉદ્ભવેલી,
ત્હારી વાણી તણી પીયૂષતા છે જનોએ કથેલી;
તેને પીને પર પ્રમદના સંગભાગી વિરામે,
નિશ્ચે ભવ્યો અજર અમરાભાવને શીઘ્ર પામે. ૨૧.
અર્થ :હે ત્રિભુવનપતે! આપની વાણી (દિવ્યધ્વનિ) જે અતિ
અગાધ હૃદયરૂપી સમુદ્રમાંથી નીકળી છે તેમાં લોકો અમૃતત્ત્વ બતાવે છે
તે સાચું જ છે કેમ કે ભવ્ય જીવ તેનું પાન કરીને પરમાનંદ પામતા થકા
બહુ જ જલ્દી અજરામરપણું પ્રાપ્ત કરી લે છે. (આ ત્રીજા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૧.
स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो,
मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः
येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय,
ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः
।।२२।।
હે, સ્વામિશ્રી! અતિ દૂર નમી ને ઉંચે ઊછળંતા,
માનું શુચિ સુરચમરના વૃંદ આવું વંદતા
‘‘જેઓ એહી યતિપતિ પ્રભુ રે! પ્રણામો કરે છે,
નિશ્ચે તેઓ ઉરધ ગતિને શુદ્ધભાવે લહે છે.’’ ૨૨.
અર્થ :હે ભગવાન્! હું એમ માનું છું કે પવિત્ર દેવતાઓના
ચામર સમૂહ આપની ઉપર ઢોળતી વખતે અતિશય નીચે નમીને ઉપર
તરફ જતાં લોકોને એમ કહી રહ્યાં છે કે જે વિશુદ્ધ પરિણામના ધારક
જીવ આ મુનિનાથ પ્રત્યે નમ્રીભૂત થઈને નમસ્કાર કરે છે તે જીવ
નિશ્ચયથી અમારા સમાન ઊર્ધ્વગતિ જે મોક્ષ તેને પામે છે. (આ ચોથા
પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૨.