સુશોભિત ત્રણ છત્રોના બ્હાને પોતાના જગતને પ્રકાશવાના અધિકારથી
ભ્રષ્ટ થઈને તારાગણોથી વિંટળાયેલ આ ચન્દ્રમા પોતાના ત્રણ શરીર ધારણ
કરીએ નિશ્ચયથી આપની સેવા કરી રહ્યો છે. (આ આઠમા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૬.
कान्ति प्रतापयशसामिवसञ्चायेन
सालत्रयेण भगवन्नभितो विभासि
કોટ નથી પણ એ આપની કાંતિ, પ્રતાપ અને યશના જાણે કે ત્રણ પૂંજ
છે કે જે ચારે તરફ સંપત્તિથી પરિપૂર્ણ ભરેલ ત્રણે જગતના એક પિંડ છે
અર્થાત્ રત્નનિર્મિત પ્રથમ કોટ જાણે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના શરીરની
કાંતિનો જ સમૂહ છે, સુવર્ણ નિર્મિત બીજો કોટ જાણે કે તેમના પ્રતાપનો
જ પૂંજ છે અને ચાંદી નિર્મિત બીજો કોટ જાણે ભગવાનની કીર્તિનો જ
સમૂહ છે. ૨૭.
त्वत्सङ्गमे सुमनसो न रमन्त एव