Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 42 of 105
PDF/HTML Page 50 of 113

 

background image
૪૨ ][ પંચસ્તોત્ર
અર્થ :હે પ્રભુવર! આપે ત્રણે લોકોને પ્રકાશિત કરી નાખ્યા છે
હવે ચન્દ્ર કોને પ્રકાશિત કરશે? એટલે જ જાણે કે મોતીઓની ઝાલરથી
સુશોભિત ત્રણ છત્રોના બ્હાને પોતાના જગતને પ્રકાશવાના અધિકારથી
ભ્રષ્ટ થઈને તારાગણોથી વિંટળાયેલ આ ચન્દ્રમા પોતાના ત્રણ શરીર ધારણ
કરીએ નિશ્ચયથી આપની સેવા કરી રહ્યો છે. (આ આઠમા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૬.
स्बेन प्रपूरितजगत्त्रयपिण्डितेन,
कान्ति प्रतापयशसामिवसञ्चायेन
माणिक्यहेमरजतप्रविनिर्मितेन,
सालत्रयेण भगवन्नभितो विभासि
।।२७।।
ત્રિલોકોને બહુ બહુ ભરી પિંડરૂપી થયેલા,
જાણે કાતિપ્રતપયશના સંચથી નિજ કેરા?
માણિ કયો ને કનક રજતે એ રચેલા ગઢોથી,
વિભાસે છે ભગવન અહો! તું હી સર્વે દિશોથી. ૨૭.
અર્થ :હે ભગવાન! આપ (સમવસરણ ભૂમિમાં) માણેક, સુવર્ણ
અને ચાંદીના બનેલા ત્રણ કોટોથી શોભી રહ્યા છો. હે પ્રભો! આ ત્રણ
કોટ નથી પણ એ આપની કાંતિ, પ્રતાપ અને યશના જાણે કે ત્રણ પૂંજ
છે કે જે ચારે તરફ સંપત્તિથી પરિપૂર્ણ ભરેલ ત્રણે જગતના એક પિંડ છે
અર્થાત્ રત્નનિર્મિત પ્રથમ કોટ જાણે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના શરીરની
કાંતિનો જ સમૂહ છે, સુવર્ણ નિર્મિત બીજો કોટ જાણે કે તેમના પ્રતાપનો
જ પૂંજ છે અને ચાંદી નિર્મિત બીજો કોટ જાણે ભગવાનની કીર્તિનો જ
સમૂહ છે. ૨૭.
दिव्यस्रजो जिन नमत्त्रिदशाधिपाना
मुत्सृज्य रत्नरचितानपि मौलिबन्धान्
पादौ श्रयन्ति भवतो यदि वापरत्र,
त्वत्सङ्गमे सुमनसो न रमन्त एव
।।२८।।