Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 43 of 105
PDF/HTML Page 51 of 113

 

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૩
*તારા પ્રાદે નમન કરતા ઇન્દ્રના શેખરોને,
છોડી, રત્ને વિરચિત છતાં, ઇન્દ્રની પુષ્પમાળા;
સેવે તારા પદયુગલને, તો પછી ભવ્ય સુમના,
તારા સંગે, જરૂર જિનજી! અન્ય સ્થાને રમે ના. ૨૮.
અર્થ :હે દેવાધિદેવ! દિવ્યપુષ્પોની માળાઓ આપના ચરણોમાં
પ્રણામ કરતા દેવેન્દ્રોના રત્નોથી જડેલા મુકુટોનાં બંધનો પણ છોડીને
આપના ચરણોનો આશ્રય લે છે અથવા યોગ્ય જ છે કે આપનો સમાગમ
થતાં સુમનસૂ અર્થાત્ પુષ્પમાળાઓ અથવા સ્વચ્છ મનવાળા ભવ્ય પ્રાણી
બીજી જગ્યાએ સંતોષ પામતા નથી. ૨૮.
त्वं नाथ जन्मजलधेर्विपराङ्मुखोऽपि,
यत्तारयस्यसुमतो निजपृष्ठलग्नान्
युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव,
चित्रं विभो यदसि कर्मविपाकशून्यः
।।२९।।
જન્માબ્ધિથી વિમુખ વરતે તોય તું જિનરાજ?
તારે છે જે સ્વપીઠ પર લાગેલ પ્રાણી સમાજ;
તે તું પાર્થિવ નીરૂપને યુક્ત નિશ્ચે જ અત્રે,
તું આશ્ચર્ય! પ્રભુ! કરમવિપાક વિહીન વર્તે! ૨૯.
અર્થ :હે નાથ! જેમ જળમાં ઉલટો મૂકેલો પાકો ઘડો પોતાની
પીઠ ઉપર બેસનારાઓને કિનારે લઈ જાય છે તેવી જ રીતે હે સ્વામી!
સંસારસમુદ્રથી વિમુખ થઈ જવા છતાં આપ આપના અનુયાયી ભવ્યજીવોને
(સંસાર સમુદ્રના) કિનારે લઈ જાવ છો. પૃથ્વીના સ્વામી અને સંરક્ષક એવા
આપને માટે એ યોગ્ય જ છે જેમ પરિપક્વ ઘટને (માટે જળમાંથી તારવાનું
ઉચિત છે તેમ.) પરંતુ હે પ્રભુ! મોટું આશ્ચર્ય તો એ છે કે આપ કર્મોના
વિપાકથી શૂન્ય છો. ૨૯.
* ઉપલબ્ધ ગુજરાતી પદ્યાનુવાદમાં આ શ્લોકનો અનુવાદ નહીં મળવાથી નવું
બનાવેલ છે.