કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૫
કર્મલેપ રહિત છો. આપ અજ્ઞાની છદ્મસ્થ જીવોને સંબોધન કરો છો અને
આપમાં સદૈવ કેવળજ્ઞાન સ્ફુરાયમાન રહે છે. ૩૦. [दुर्गतः — દરિદ્ર,
કઠિનતાથી જણાય તેવા. अक्षरप्रकृतिઃ — અક્ષર સ્વભાવવાળા, મોક્ષસ્વરૂપ.
अलिपि : – લિપિથી લખી શકાતા નથી. કર્મલેપ રહિત. अज्ञानवति : –
અજ્ઞાની હોવા છતાં પણ, છદ્મસ્થ અજ્ઞાની જીવોને સંબોધન કરનાર.]
प्राग्भारसम्भृतनभांसि रजांसि रोषा –
दुत्थापितानि कमठेन शठेन यानि ।
छायापि तैस्तव न नाथ हता हताशो,
ग्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा ।।३१।।
વ્યાપ્યા જેણે અતિ અતિ મહા ભારદ્વારા નભોને,
ઉડાડી’તી શઠ કમઠડે રોષથી જે રજોને;
તેથી છાયા પણ તમતણી ના હણાણી જિનેશ!
દુરાત્મા એહજ રજ થકી તે ગ્રસાયો હતાશ. ૩૧.
અર્થ : — હે પ્રભુવર! દુષ્ટ કમઠે ક્રોધથી સમસ્ત આકાશમાં
વ્યાપનારી જે ધૂળ ઉડાડી હતી તે રજથી આપના શરીરની છાયા પણ
હણાણી નહોતી, આપનો પરાજય થવાની વાત તો દૂર જ રહી. ઊલ્ટું
હતાશ બનેલ દુષ્ટ તે કમઠ જ તે રજોથી (પાપકર્મોથી) ઘેરાઈ ગયો. ૩૧.
यद्गर्जदूर्जितघनौघमदभ्रभीमं,
भ्रश्यत्तडिन्मुसलमांसलघोरधारम् ।
दैस्येन मुक्तमथ दुस्तरवारि दध्रे,
तेनैव तस्य जिन दुस्तर वारिकृत्यम् ।।३२।।
જ્યાં ગર્જંતા પ્રબળ ઘનના ઓઘથી ભ્રમ ભીમ;
વિદ્યુત્ ત્રુટ મુસલ સમ જ્યાં ઘોર ધારા અસીમ;
દૈત્યે એવું જ દુસ્તર – વારિ અરે! મુક્ત કીધું,
તેનું તેથી જ દુસ્તર – વારિ થયું કાર્ય સીધું. ૩૨.