Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 105
PDF/HTML Page 55 of 113

 

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૭
આરાધતા વિધિથી કાર્ય બીજા ફગાવી,
રોમાંચ ભક્તિ થકી અંગ મહિં ધરાવી. ૩૪.
અર્થ :હે જિનનાથ! ભક્તિભાવજન્ય રોમાંચ જેમના શરીરમાં
વ્યાપી ગયા છે એવા જે ભવ્યપ્રાણી સંસારના અન્ય સમસ્ત કાર્યો છોડીને
વિધિપૂર્વક આપના બન્ને ચરણોની સવાર, બપોર અને સાંજે આરાધના કરે
છે, તે જ જીવો સંસારમાં ધન્ય છે. ૩૪.
अस्मिन्नपारभववारिनिधौ मुनीश !
मन्ये न मे श्रवणगोचरतां गतोऽसि
आकर्णिते तु तव गोत्रपवित्रमंत्रे,
किं वा विपद्विषघरी सविधं समेति
।।३५।।
માનું અપાર ભવસાગરમાં જિનેશ!
તું કર્ણગોચર મને ન થયો જ લેશ;
સુણ્યા પછી તુજ સુનામ પુનિત મંત્ર,
આવે કને વિપદનાગણ શું? ભદંત! ૩૫.
અર્થ :હે મુનિનાથ! મને એમ લાગે છે કે આ અપાર સંસાર
સમુદ્રમાં મેં આપનો યશ કાને સાંભળ્યો નથી કેમકે જો આપના નામરૂપી
પવિત્ર મંત્ર મેં કાનથી સાંભળ્યો હોત તો શું આપત્તિરૂપી સાપણ મારી
સમીપ આવત? અર્થાત્ ન જ આવત. ૩૫.
जन्मान्तरेऽपि तव पादयुगं न देव !
मन्ये मया महित मीहितदानदक्षम्
तेनेह जन्मनि मुनीश ! पराभवानां,
जातो निकेतनमहं मथिताशयानाम्
।।३६।।
જન્માંતરેય જિન! વાંચ્છિત દાનદક્ષ,
પૂજ્યા ન મેં તુજ પદોરૂપ કલ્પવૃક્ષ;