કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૫૧
यद्यस्ति नाथ भवदंध्रिसरोरूहाषां,
भक्तेः फलं किमपि सन्ततसञ्चितायाः ।
तन्मे त्वदेकशरणस्य शरण्य भूयाः
स्वामी त्वमेव भुवनेऽत्र भवान्तरेऽपि ।।४२।।
ત્હારા પદાબ્જતણી – સંતતિથી ભરેલી,
ભક્તિતણું કંઈય જો ફલ વિશ્વબેલી!
તો તું જ એક શરણું જસ એહ મુજ,
હો શર્ણ આ ભવ ભવાંતરમાંય તું જ! ૪૨.
અર્થ : — હે પ્રભુવર! કેવળ આપનું જ શરણ લેનાર એવા મને,
ચિરકાળથી સંચિત કરેલી આપના ચરણકમળોની ભક્તિનું જો કાંઈ પણ
ફળ મળે તો હે અશરણોને શરણ આપનાર! તે એટલું જ હો કે આ લોક
અને પરલોકમાં પણ આપ જ મારા સ્વામી હો અર્થાત્ મારો આત્મા
આપના સમાન શુદ્ધ અને પૂર્ણ થઈ જાય. ૪૨.
इत्थं समाहितधियो विधिवज्जिनेन्द्र,
सान्द्रोल्लसत्पुलक कञ्चुकिताङ्गभागाः ।
त्वद्विम्बनिर्मलमुखाम्बुजबद्धलक्ष्या,
ये संस्तवं तव विभो स्वयन्ति भव्याः ।।४३।।
जननयनकुमुदचन्द्र,
प्रभास्वराः स्वर्गसमादो भुक्त्वा ।
ते विगलितमलनिचया,
अचिरान्मोक्षं प्रपद्यन्ते ।।४४।।
રે! આમ વિધિથી સમાધિમને ઉમંગે,
રોમાંચ કંચુક ધરી નિજ અંગઅંગે;
સદ્દબિબ્બ નિર્મળ મુખાંબુજ દ્રષ્ટિ બાંધી,
ભવ્યો રચે સ્તવન જે તુજ ભક્તિ સાંધી. ૪૩.