મારોઠથી છપાયેલ ‘સ્તોત્રત્રયી’સાથનો અને એકીભાવસ્તોત્ર માટે ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશનથી પ્રકાશિત કલ્યાણકલ્પદ્રુમનો આધાર લેવામાં આવેલ છે
અને તે માટે સંસ્થા ઉક્ત ત્રણેય પ્રકાશકોની આભારી છે. વળી આ
પુસ્તકમાં ચાર સ્તોત્રના સંસ્કૃતનો પદ્યાનુવાદ પણ છાપવામાં આવેલ છે,
તે આ ટ્રસ્ટથી છપાયેલ જિનેન્દ્રસ્તવનમંજરી અને જિનેન્દ્રસ્તવનમાળામાં
છપાયેલ સ્તવનોના આધારે છે. તેમાં કલ્યાણમંદિરસ્તોત્રમાંની ૨૮મી કડીનો
ગુજરાતી પદ્યાનુવાદ ઉપલબ્ધ નહીં હોવાથી પંડિતરત્ન શ્રી હિંમતલાલ
જેઠાલાલ શાહે તે કડીનો પદ્યાનુવાદ આચાર્યશ્રીના હૃદયના ભાવોને સ્પર્શીને
કરી આપ્યો છે, તે બદલ ટ્રસ્ટ તેમનું ઘણું જ આભારી છે.
એવી ભાવના.
બહેનશ્રી ચંપાબેનની
૭૬મી જન્મજયંતી
શ્રા. વ. ૨, વિ.સં. ૨૦૪૫
તા. ૧૮-૮-૮૯