Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 54 of 105
PDF/HTML Page 62 of 113

 

background image
૫૪ ][ પંચસ્તોત્ર
તુમ જિન જોતિસ્વરૂપ દુરિતઅંધિયારિનિવારી,
સો ગણેશ ગુરૂ કહૈં તત્ત્વવિદ્યાધનધારી;
મેરે ચિતઘરમાહિં બસૌ તેજોમય યાવત્,
પાપતિમિર અવકાશ તહાં સો ક્યોંકરિ પાવત. ૨.
અર્થ :હે જિનવર! દીર્ઘ તત્ત્વજ્ઞાનીઓ આપને એવા જ્યોતિરૂપ
બનાવે છે કે જે પાપસમૂહરૂપ અંધકારના વિનાશના હેતુ છે. જો આપ
મારા હૃદયમંદિરમાં ખૂબ પ્રકાશિત થઈ રહ્યા છે તો પછી તેમાં પાપરૂપી
અંધકાર વાસ્તવમાં કેવી રીતે ટકી શકે? જો પાપ ટકી શકતું ન હોય તો
પાપનું ફળ એવું દુઃખ પણ રહી શકે નહિ. ૨.
आनन्दाश्रुस्नपितवदनं गद्गदं चाभिजल्पन्
यश्चायेत त्वयि दृढमनाः स्तोत्रमन्त्रैः भवन्तम्
तस्याभ्यस्तादपि च सुचिरं देहवल्मीकमध्यान्
निष्कास्यन्ते विविधविषमव्याधयो काद्रवेयाः ।।।।
આનંદ આંસૂવદન ધોય તુમસોં ચિત સાનૈ,
ગદગદ સુરસો સુયશમંત્ર પઢિ પૂજા ઠાનૈં;
તાકે બહુવિધ વ્યાધિ વ્યાલ ચિરકાલ નિવાસી,
ભાજૈં થાનક છોડ દેહબાંબઈ કે વાસી. ૩.
અર્થ :હે જિનેન્દ્રદેવ! આપમાં ચિત્તની સ્થિરતા કરીને જે
ભક્તજન આનંદના અશ્રુઓથી જેનું મુખ ધોવાયું છે તે ગદગદ સ્વરે
સ્તોત્ર
મંત્રો દ્વારા આપની પૂજા કરે છે તેના શરીરરૂપી રાફડામાંથી જુદી
જુદી જાતના વિષમ રોગરૂપ સર્પો બહાર નીકળી જાય છે કે જે તેમાં
ચિરકાળથી રહેવાના અભ્યાસી હતા. ૩.
प्रागेवेह त्रिदिवभवनादेष्यता भव्यपुण्यात्
पृथ्वीचक्रं कनकमयतां देव निन्ये त्वयेदम्