Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 55 of 105
PDF/HTML Page 63 of 113

 

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૫૫
ध्यानद्वारं मम रुचिकरं स्वान्तगेहं प्रविष्टस्
तत् किं चित्रं जिन वपुरिदं यत्सुवर्णीकरोषि ।।।।
દિવિતૈં આવનહાર ભયે ભવિભાગ ઉદયબલ,
પહલેહી સુર આય કનકમય કીય મહીતલ;
મનગૃહધ્યાનદુવાર આય નિવસો જગનામી,
જો સુવરન તન કરો કૌન યહ અચરજ સ્વામી. ૪.
અર્થ :હે જિનદેવ! ભવ્યજીવોના પુણ્યપ્રભાવથી દેવલોકમાંથી
અહીં આપના પધારવાના (છ મહિના) અગાઉથી જ દેવો દ્વારા કરવામાં
આવતી રત્નો આદિની વૃષ્ટિથી આ ભૂમંડળ સુવર્ણમય બન્યું હતું. હવે
જ્યારે આપ ધ્યાનરૂપી દ્વારવાળા મારા રુચિકર અંતઃકરણમાં પ્રવેશ પામ્યા
છો તો હે દેવ! આપ મારા આ (કોઢના રોગથી ઘેરાયેલા) શરીરને
સુવર્ણમય બનાવી દો એમાં કઈ આશ્ચર્યની વાત છે? કોઈ પણ આશ્ચર્યની
વાત નથી. ૪.
लोकस्यैकस्त्वमसि भगवन् निर्निमित्तेन वन्धुसू
त्वय्येवासौ सकलविषया शक्तिरप्रत्यनीका
भक्तिस्फीतां चिरमधिवसन्मामिकां चित्तशय्यां
मय्युत्पन्नं कथमिव ततः क्लेशयूथं सहेथाः ।।।।
પ્રભુ સબ જગકે વિના હેતુ બાંધવ ઉપકારી,
નિરાવરન સર્વજ્ઞ શક્તિ જિનરાજ તિહારી;
ભક્તિરચિત મમચિત્ત સેજ નિત વાસ કરોગે,
મેરે દુઃખસંતાપ દેખ કિમ ધીર ધરોગે. ૫.
અર્થ :હે ભગવાન્! આપ લોકના અદ્વિતીય કારણ વિશેષ
વિનાનાં બંધુ છો અને આપમાં જ સર્વ પદાર્થોને જાણનારી જેને કોઈ
પ્રતિપક્ષી નથી એવી શક્તિ છે, આપ મારી ભક્તિથી સમૃદ્ધ એવી
ચિત્તરૂપી શય્યામાં ચિરકાળથી નિવાસ કરો છો તેથી મારામાં ઉત્પન્ન થતા