Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 56 of 105
PDF/HTML Page 64 of 113

 

background image
૫૬ ][ પંચસ્તોત્ર
કે થનારા દુઃખસમૂહને આપ કેવી રીતે સહન કરી શકો? સહન કરી
શકતા નથી. ૫.
जन्माटव्यां कथमपि मया देव दीर्घं भ्रमित्वा
प्राप्तैयेयं तव नयकथास्फारपियूषवापी
तस्यां मध्ये हिमकरहिमव्यूहशीते नितान्तं
निर्मग्नं मां न जहति कथं दुःखदावोपतापः ।।।।
ભવવનમેં ચિરકાલ ભ્રમ્યો કછુ કહિય ન જોઈ,
તુમ ધુતિકથાપિયૂષવાપિકા ભાગન પાઈ;
શશિ તુષાર ઘનસાર હાર શીતલ નહિં જા સમ,
કરત ન્હૌન તામાહિં કયો ન ભવતાપ બુઝૈ મમ. ૬.
અર્થ :હે જિનદેવ! ભવવનમાં દીર્ઘકાળપર્યંત ભ્રમણ કર્યાં પછી
આપની આ નયકથાવાર્તારૂપ ઉદાર અમૃતરસથી પૂર્ણ વિસ્તીર્ણ વાવ કોઈ
પણ રીતેમહા કષ્ટથીમને પ્રાપ્ત થઈ છે. તે ચન્દ્રમા અને હિમપૂંજ સમાન
શીતળ વાયમાં હું પૂર્ણપણે નિમગ્ન થઈ ગયો છું, એવી સ્થિતિમાં દુઃખરૂપી
દાવાનળનો આતાપ મને કેમ નહિ છોડે? છોડશે જ, મારા ઉપર દુઃખનો
કોઈ પ્રભાવ રહી શકશે નહિ. ૬.
पादन्यासादपि च पुनतो यात्रया ते त्रिलोकीं
हेमाभासो भवति सुरभिः श्रीनिवासश्व पद्मः
सर्वाङ्गेण स्पृशति भगवंस्त्वय्यशेषं मनो मे
श्रेयः किं तत् स्वयमहरहर्यन्न मामभ्युपैति ।।।।
શ્રી વિહાર પરિવાહ હોત શુચિરૂપ સકલ જગ,
કમલકનક આભાવ સુરભિ શ્રીવાસ ધરત પગ;
મેરો મન સર્વંગ, પરસ પ્રભુકો સુખ પાવૈ,
અબ સો કૌન કલ્યાન જો ન દિન દિન ઢિગ આવૈ. ૭.