Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 61 of 105
PDF/HTML Page 69 of 113

 

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૧
સ્વામી સુખસોં તહાં કૌન જન મારગ લાગૈં,
પ્રભુ પ્રવચન મણિદીપ જોન કે આગૈં આગૈં. ૧૪.
અર્થ :હે જિનદેવ! મુક્તિનો આ માર્ગ બધી બાજુથી પાપરૂપ
અંધકારથીમિથ્યાદર્શનાદિરૂપ તિમિરપટલોથીઆચ્છાદિત છે અને બહુ
ઊંડા ક્લેશકારી ખાડાઓ દ્વારાનરક, નિગોદાદિના દુઃખોથી પૂર્ણ સ્થાનોથી
ઊબડખાબડ વિષમ સ્થાન બનેલ છે; ત્યાં કયો મનુષ્ય સુખપૂર્વક તે માર્ગ
ઉપર ચાલી શકે? જો યથાર્થ વસ્તુતત્ત્વનો પ્રકાશક આપના વચનરૂપ રત્ન
દીપક આગળ આગળ ન ચાલતો હોય. ભાવાર્થ એમ છે કે આપની
વાણીનો પ્રકાશ પામ્યા વિના કોઈ પણ મનુષ્ય તે મુક્તિના માર્ગ પર
સુખપૂર્વક ચાલવામાં સમર્થ થઈ શકે નહિ. ૧૪.
आत्मज्योतिर्निधिरनवधिर्द्रष्टुरानन्दहेतुः
कर्मक्षोणीपटलपिहितो योऽनवाप्यः परेषाम्
हस्ते कुर्वन्त्यनतिचिरतस्तं भवद्भक्तिभाजः
स्तोत्रैर्बन्धप्रकृतिपरुषोद्दामधात्रीखनित्रैः ।।१५।।
કર્મપટલભૂમાહિં દબી આતમનિધિ ભારી,
દેખા અતિસુખ હોય વિમુખજન નાહિં ઉધારી;
તુમ સેવક તતકાલ તાહિ નિહચૈ કર ધારૈ,
થુતિ કુદાલસોં ખોદ બંદ ભૂ કઠિન વિદારે. ૧૫.
અર્થ :આત્મજ્યોતિરૂપ નિધિ અમર્યાદિતરૂપે સ્થિત છે તેનો
ક્યાંય અંત નથીજ્ઞાનાવરણાદિ કર્મરૂપ પૃથ્વીના પડોથી તે આચ્છાદિત છે,
જોનારને આનંદનું કારણ છેદર્શનમાત્રથી જેના આનંદનો ઉદ્ભવ થાય છે
અને જે બીજાઓ દ્વારાઅભક્ત હૃદયો દ્વારા અપ્રાપ્ય છે, તેને આપના
ભક્તો તરત જ તે સ્તોત્રો દ્વારા પ્રાપ્ત કરી લે છે કે જે ( પ્રકૃતિ, સ્થિતિ,
અનુભાગ
પ્રદેશરૂપ) દ્રઢ બંધનપ્રાપ્ત કઠોર અને અતિ ઉગ્ર (કર્મરૂપ)
ભૂમિને ખોદવામાં સમર્થ તીક્ષ્ણ કોદાળી સમાન છે. ૧૫.