Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 72 of 105
PDF/HTML Page 80 of 113

 

background image
૭૨ ][ પંચસ્તોત્ર
अगाधताब्धेः स यतः पयोधि
र्मेरोश्च तुङ्गा प्रकृति स यत्र
घावापृथिव्यो पृथुता तथैव,
व्याप त्वदीया भुवनान्तराणि ।।।।
અર્થ :હે જિનેશ્વર! સમુદ્રની ઊંડાઈ સમુદ્ર સુધી જ સીમિત
છે અને મેરુ પર્વતની ઊંચાઈ મેરુ પર્વત સુધી જ સીમિત છે અને
આકાશ તથા પૃથ્વીની વિશાળતા પણ તેમના સુધી જ સીમિત છે પરંતુ
આપની ધીરજ, ઉન્નત પ્રકૃતિ અને ઉદારતા સમસ્ત લોકાલોકમાં વ્યાપી
રહી છે. ૮.
तवानवस्था परमार्थतत्त्वं,
त्वया न गीतः पुनरागमश्च
दृष्टं विहाय त्वमदृष्टमैषी
र्विरुद्धवृत्तोऽपि समञ्जसस्त्वं ।।।।
અર્થ :હે જિનેન્દ્રદેવ! આપના શાસનમાં પરમાર્થતત્ત્વ
(નિશ્ચયતત્ત્વ) અનવસ્થા (અનિયતસ્થિતિ અથવા પરિવર્તનશીલતા) છે તથા
આપે અનવસ્થા (પરિવર્તનશીલતા) બતાવીને પુનરાગમનનો અભાવ કહ્યો
છે. આપ પ્રત્યક્ષ ફળ છોડીને અદ્રષ્ટ ફળ ચાહો છો; આ પ્રમાણે આપ
વિરુદ્ધ આચરણ સહિત હોવા છતાં પણ વિરુદ્ધ આચરણ રહિત છો, એ
મહાન્ આશ્ચર્ય છે. ૯.
ભાવાર્થ :પ્રસ્તુત શ્લોકમાં વિરોધાભાસ અલંકાર છે. વસ્તુતત્ત્વ
અનેક ધર્માત્મક છે. સર્વથા નિત્યત્વ, એકત્વાદિ સ્વરૂપ નથી. કેમ કે
દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય અને પર્યાયદ્રષ્ટિથી અનિત્ય ધર્માત્મક છે. સંસારી જીવોની
અપેક્ષાએ પુનરાગમન છે પરંતુ મુક્ત જીવોની અપેક્ષાએ પુનરાગમન નથી
કેમ કે સંસારી જીવ રાગ દ્વેષ, મોહભાવોને વશ થવાના કારણે જુદી જુદી
યોનિઓમાં પરિભ્રમણ કર્યા કરે છે પરંતુ મુક્ત જીવોમાં કર્મકલંકનો અભાવ
થઈ ગયો છે તેથી તેમને પુનરાગમન થતું નથી. દ્રષ્ટફળ છોડીને અદ્રષ્ટફળ