અતીન્દ્રિયજન્ય પરમસુખ મોક્ષની ચાહ કરી. આ પ્રમાણે અર્થ કરવાથી
વાસ્તવમાં કોઈ પણ વિરોધ નથી. ૯.
કરવાને કારણે ઈશ્વર કહો તો તે બરાબર નથી કારણ કે તે પણ પાછળથી
કામથી પીડિત થઈ ગયા હતા. વિષ્ણુ પણ લક્ષ્મીની સાથે શયન કરવાને
કારણે અનેક આકુળતાઓથી પીડિત છે પરંતુ આપ સદૈવ આત્મામાં જાગૃત
રહેવાને કારણે કામનિદ્રામાં અચેત થયા નહિ અર્થાત્ હરિહરાદિક બધા દેવ
બાહ્ય પરિગ્રહથી લિપ્ત, નિદ્રા આદિ અઢાર દોષ સહિત તથા કામદ્વારા
પીડિત છે અને આપ અઢાર દોષરહિત બાહ્ય અંતરંગ બધા પરિગ્રહોથી
રહિત, નિરાકુળ અને સાચા કામવિજેતા છો. ૧૦.
ગુણીપણું નથી. જેમ વાવ, કૂવો, તળાવ આદિની નિંદા કરવાથી સમુદ્રનો
મહિમા હોય એમ બાબત નથી પરંતુ સમુદ્રનો મહિમા સ્વભાવથી જ હોય
છે તેવી જ રીતે અનંત જ્ઞાનાદિ અપરિમિત ગુણોના સ્વામી હોવાથી આપનો
સર્વોપરિ મહિમા સ્વભાવથી જ છે. ૧૧.