Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 76 of 105
PDF/HTML Page 84 of 113

 

background image
૭૬ ][ પંચસ્તોત્ર
नाकस्य पत्युः परिकर्म रम्यं
नागम्यरूपस्य तवोपकारि
तस्यैव हेतुः स्वसुखस्य
भानोरुद्बिभ्रतच्छत्रमिवादरेण ।।१७।।
અર્થ :હે ગુણસમુદ્ર! ઇન્દ્રની મનોહારી સેવા નિત્ય નિરંજન
જ્ઞાનમૂર્તિસ્વરૂપ આપનો ઉપકાર કરતી નથી. તેની મનોહારી સેવા તે
ઇન્દ્રના જ આત્મસુખનું કારણ છે. જેમ કોઈ આદરપૂર્વક છત્ર ધારણ કરે
છે તો તેનાથી તેને જ છાયાદિરૂપ સુખની પ્રાપ્તિ થાય છે. તેનાથી સૂર્યનો
કાંઈ થોડો જ ઉપકાર થાય છે? તેવી જ રીતે ભગવાનની સેવા દ્વારા ઇન્દ્ર
સંસારનાશક અતિશય પુણ્યની પ્રાપ્તિ કરે છે. ૧૭.
क्वोपेक्षकस्त्वं क्व सुखोपदेशः
स चेत्किमिच्छाप्रतिकूलवादः
क्वासौ क्व वा सर्वजगत्प्रियत्वं
तन्नायथातथ्यमवेविचं ते ।।१८।।
અર્થ :હે વીતરાગ પ્રભુ! પરમ વીતરાગી આપ ક્યાં? આપનો
સુખદાયક ઉપદેશ ક્યાં? જો સુખદાયક ઉપદેશ હોય તો પછી ઇચ્છાથી
પ્રતિકૂળ ઉપદેશ કેમ? ક્યાં ઇચ્છાથી પ્રતિકૂળ આપનો આ ઉપદેશ? અને
ક્યાં તેમાં સર્વ સંસારી જીવોનું પ્રિયપણું? આ બધું પરસ્પર વિરોધી હોવા
છતાં પણ વિરોધ રહિત યથાર્થ છે એમ મને દ્રઢ વિશ્વાસ છે. ૧૮.
ભાવાર્થ :જો કે વીતરાગ પ્રભુ આપ પરમ વીતરાગ છો છતાં
પણ ભવ્ય જીવોના પુણ્યોદયથી આપની દિવ્યધ્વનિ ખરે છે. આપને
ભવ્યજીવો પ્રત્યે કોઈ રાગ નથી તેથી વીતરાગી હોવામાં અને ઉપદેશ
દેવામાં કોઈ વિરોધ નથી. હિતકારી હોવા છતાં પણ તે ઇન્દ્રિયવિષયના
તુચ્છ ક્ષણિક સુખથી પ્રતિકૂળ છે કેમ કે ઇન્દ્રિયવિષય સુખનો વિપાક અત્યંત
કડવો છે છતાં પણ શિવસુખ આપવાનું મુખ્ય કારણ હોવાથી બધાને પ્રિય
છે તેથી આપના ઉપદેશમાં કોઈ વિરોધ નથી.