Panchastikay Sangrah (Gujarati). Gatha: 36.

< Previous Page   Next Page >


Page 65 of 256
PDF/HTML Page 105 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૬૫
सिद्धानां जीवत्वदेहमात्रत्वव्यवस्थेयम्
सिद्धानां हि द्रव्यप्राणधारणात्मको मुख्यत्वेन जीवस्वभावो नास्ति न च जीव-

स्वभावस्य सर्वथाभावोऽस्ति भावप्राणधारणात्मकस्य जीवस्वभावस्य मुख्यत्वेन सद्भावात् च तेषां शरीरेण सह नीरक्षीरयोरिवैक्येन वृत्तिः, यतस्ते तत्सम्पर्कहेतुभूतकषाययोगविप्रयोगाद- तीतानन्तरशरीरमात्रावगाहपरिणतत्वेऽप्यत्यन्तभिन्नदेहाः वाचां गोचरमतीतश्च तन्महिमा, यतस्ते लौकिकप्राणधारणमन्तरेण शरीरसम्बन्धमन्तरेण च परिप्राप्तनिरुपाधिस्वरूपाः सततं प्रतपन्तीति ।।३५।।

ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो सिद्धो
उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि ।।३६।।

ટીકાઆ, સિદ્ધોનાં (સિદ્ધભગવંતોનાં) જીવત્વ અને દેહપ્રમાણત્વની વ્યવસ્થા છે.

સિદ્ધોને ખરેખર દ્રવ્યપ્રાણના ધારણસ્વરૂપ જીવસ્વભાવ મુખ્યપણે નથી; (તેમને) જીવસ્વભાવનો સર્વથા અભાવ પણ નથી, કારણ કે ભાવપ્રાણના ધારણસ્વરૂપ જીવસ્વભાવનો મુખ્યપણે સદ્ભાવ છે. વળી તેમને શરીરની સાથે, નીરક્ષીરની માફક, એકપણે વૃત્તિ નથી; કારણ કે શરીરસંયોગના હેતુભૂત કષાય અને યોગનો વિયોગ થયો હોવાથી તેઓ અતીત અનંતર શરીરપ્રમાણ અવગાહે પરિણત હોવા છતાં અત્યંત દેહરહિત છે. વળી વચનગોચરાતીત તેમનો મહિમા છે; કારણ કે લૌકિક પ્રાણના ધારણ વિના અને શરીરના સંબંધ વિના, સંપૂર્ણપણે પ્રાપ્ત કરેલા નિરુપાધિ સ્વરૂપ વડે તેઓ સતત પ્રતપે છે (પ્રતાપવંત વર્તે છે). ૩૫.

ઊપજે નહીં કો કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે,
ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે. ૩૬.
૧. વૃત્તિ=વર્તવું તે; હયાતી.
૨. અતીત અનંતર=ભૂત કાળનું સૌથી છેલ્લું; ચરમ. (સિદ્ધભગવંતોની અવગાહના ચરમશરીરપ્રમાણ
હોવાને લીધે તે છેલ્લા દેહની અપેક્ષા લઈને તેમને ‘દેહપ્રમાણપણું’ કહી શકાતું હોવા છતાં, ખરેખર
તેઓ અત્યંત દેહરહિત છે.)

૩. વચનગોચરાતીત=વચનગોચરપણાને અતિક્રમી ગયેલ; વચનવિષયાતીત; વચન-અગોચર. પં. ૯