Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 66 of 256
PDF/HTML Page 106 of 296

 

૬૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
न कुतश्चिदप्युत्पन्नो यस्मात् कार्यं न तेन सः सिद्धः
उत्पादयति न किञ्चिदपि कारणमपि तेन न स भवति ।।३६।।
सिद्धस्य कार्यकारणभावनिरासोऽयम्
यथा संसारी जीवो भावकर्मरूपयात्मपरिणामसन्तत्या द्रव्यकर्मरूपया च पुद्गलपरिणाम-

सन्तत्या कारणभूतया तेन तेन देवमनुष्यतिर्यग्नारकरूपेण कार्यभूत उत्पद्यते, न तथा सिद्ध- रूपेणापीति सिद्धो ह्युभयकर्मक्षये स्वयमुत्पद्यमानो नान्यतः कुतश्चिदुत्पद्यत इति यथैव च स एव संसारी भावकर्मरूपामात्मपरिणामसन्ततिं द्रव्यकर्मरूपां च पुद्गलपरिणामसन्ततिं कार्यभूतां कारणभूतत्वेन निर्वर्तयन् तानि तानि देवमनुष्यतिर्यग्नारकरूपाणि कार्याण्युत्पादयत्यात्मनो, न तथा सिद्धरूपमपीति सिद्धो ह्युभयकर्मक्षये स्वयमात्मानमुत्पादयन्नान्यत्किञ्चिदुत्पादयति ३६

અન્વયાર્થ[ यस्मात् सः सिद्धः ] તે સિદ્ધ [ कु तश्चित् अपि ] કોઈ (અન્ય) કારણથી [ न उत्पन्नः ] ઊપજતા નથી [ तेन ] તેથી [ कार्यं न ] કાર્ય નથી, અને [ किञ्चित् अपि ] કાંઈ પણ (અન્ય કાર્યને) [ न उत्पादयति ] ઊપજાવતા નથી [ तेन ] તેથી [ सः ] તે [ कारणम् अपि ] કારણ પણ [ न भवति ] નથી.

ટીકાઆ, સિદ્ધને કાર્યકારણભાવ હોવાનો નિરાસ છે (અર્થાત્ સિદ્ધ- ભગવાનને કાર્યપણું અને કારણપણું હોવાનું નિરાકરણખંડન છે).

જેમ સંસારી જીવ કારણભૂત એવી ભાવકર્મરૂપ *આત્મપરિણામસંતતિ અને દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામસંતતિ વડે તે તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકના રૂપે કાર્યભૂતપણે ઊપજે છે, તેમ સિદ્ધરૂપે પણ ઊપજે છે એમ નથી; (અને) સિદ્ધ (સિદ્ધભગવાન) ખરેખર, બંને કર્મનો ક્ષય હોતાં, સ્વયં (સિદ્ધપણે) ઊપજતા થકા અન્ય કોઈ કારણથી (ભાવકર્મથી કે દ્રવ્યકર્મથી) ઊપજતા નથી.

વળી જેમ તે જ સંસારી (જીવ) કારણભૂત થઈને કાર્યભૂત એવી ભાવકર્મરૂપ આત્મપરિણામસંતતિ અને દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામસંતતિ રચતો થકો કાર્યભૂત એવાં તે તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકનાં રૂપો પોતાને વિષે ઉપજાવે છે, તેમ સિદ્ધનું રૂપ પણ (પોતાને વિષે) ઉપજાવે છે એમ નથી; (અને) સિદ્ધ ખરેખર, બન્ને કર્મનો ક્ષય હોતાં, સ્વયં પોતાને (સિદ્ધપણે) ઉપજાવતા થકા અન્ય કાંઈ પણ (ભાવદ્રવ્યકર્મસ્વરૂપ કે દેવાદિસ્વરૂપ કાર્ય) ઉપજાવતા નથી. ૩૬. *આત્મપરિણામસંતતિ=આત્માના પરિણામોની પરંપરા