चेतयन्ते अनुभवन्ति उपलभन्ते विन्दन्तीत्येकार्थाश्चेतनानुभूत्युपलब्धिवेदनानामे- कार्थत्वात् । तत्र स्थावराः कर्मफलं चेतयन्ते, त्रसाः कार्यं चेतयन्ते, केवलज्ञानिनो નિર્જરી ગયું છે અને અત્યંત ૧કૃતકૃત્યપણું થયું છે (અર્થાત્ કાંઈ કરવાનું લેશમાત્ર પણ રહ્યું નથી). ૩૮.
અન્વયાર્થઃ — [ सर्वे स्थावरकायाः ] સર્વ સ્થાવર જીવસમૂહો [ खलु ] ખરેખર [ कर्मफलं ] કર્મફળને વેદે છે, [ त्रसाः ] ત્રસો [ हि ] ખરેખર [ कार्ययुतम् ] કાર્યસહિત કર્મફળને વેદે છે અને [ प्राणित्वम् अतिक्रान्ताः ] જે પ્રાણિત્વને ( – પ્રાણોને) અતિક્રમી ગયા છે [ ते जीवाः ] તે જીવો [ ज्ञानं ] જ્ઞાનને [ विन्दन्ति ] વેદે છે.
ટીકાઃ — અહીં, કોણ શું ચેતે છે (અર્થાત્ કયા જીવને કઈ ચેતના હોય છે) તે કહ્યું છે.
ચેતે છે, અનુભવે છે, ઉપલબ્ધ કરે છે અને વેદે છે — એ એકાર્થ છે (અર્થાત્ એ બધા શબ્દો એક અર્થવાળા છે), કારણ કે ચેતના, અનુભૂતિ, ઉપલબ્ધિ અને વેદનાનો એક અર્થ છે. ત્યાં, સ્થાવરો કર્મફળને ચેતે છે, ત્રસો કાર્યને ચેતે છે, ૧. કૃતકૃત્ય=કૃતકાર્ય. [પરિપૂર્ણ જ્ઞાનવાળા આત્માઓ અત્યંત કૃતકાર્ય છે તેથી, જોકે તેમને અનંત વીર્ય