सर्वात्मप्रदेशव्यापिविशुद्धदर्शनसामान्यात्मा । स खल्वनादिदर्शनावरणकर्मावच्छन्नप्रदेशः सन्, यत्तदावरणक्षयोपशमाच्चक्षुरिन्द्रियावलम्बाच्च मूर्तद्रव्यं विकलं सामान्येनावबुध्यते
અન્વયાર્થઃ — [ दर्शनम् अपि ] દર્શન પણ [ चक्षुर्युतम् ] ચક્ષુદર્શન, [ अचक्षुर्युतम् अपि च ] અચક્ષુદર્શન, [ अवधिना सहितम् ] અવધિદર્શન [ च अपि ] અને [ अनंतविषयम् ] અનંત જેનો વિષય છે એવું [ अनिधनम् ] અવિનાશી [ कैवल्यं ] કેવળદર્શન [ प्रज्ञप्तम् ] — એમ ચાર ભેદવાળું કહ્યું છે.
(૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન — એ પ્રમાણે (દર્શનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છેઃ — ) આત્મા ખરેખર અનંત, સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ દર્શનસામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર અનાદિ દર્શનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો, (૧) તે પ્રકારના (અર્થાત્ ચક્ષુદર્શનના) આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ-ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને વિકળપણે *સામાન્યતઃ અવબોધે છે તે ચક્ષુદર્શન છે, (૨) તે પ્રકારના આવરણના *સામાન્યતઃ અવબોધવું=દેખવું. (સામાન્ય અવબોધ અર્થાત્ સામાન્ય પ્રતિભાસ તે દર્શન છે.)