विकलं सामान्येनावबुध्यते तदचक्षुर्दर्शनम्, यत्तदावरणक्षयोपशमादेव मूर्तद्रव्यं विकलं
सामान्येनावबुध्यते तदवधिदर्शनम्, यत्सकलावरणात्यन्तक्षये केवल एव मूर्तामूर्तद्रव्यं
सकलं सामान्येनावबुध्यते तत्स्वाभाविकं केवलदर्शनमिति स्वरूपाभिधानम् ।।४२।।
ક્ષયોપશમથી અને ચક્ષુ સિવાય બાકીની ચાર ઇન્દ્રિયો તથા મનના અવલંબનથી મૂર્ત- અમૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે અચક્ષુદર્શન છે, (૩) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે અવધિદર્શન છે, (૪) સમસ્ત આવરણના અત્યંત ક્ષયે, કેવળ જ ( – આત્મા એકલો જ), મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સકળપણે સામાન્યતઃ અવબોધે છે તે સ્વાભાવિક કેવળદર્શન છે. — આ પ્રમાણે (દર્શનોપયોગના ભેદોનાં) સ્વરૂપનું કથન છે. ૪૨.
અન્વયાર્થઃ — [ ज्ञानात् ] જ્ઞાનથી [ ज्ञानी न विकल्प्यते ] જ્ઞાનીનો ( – આત્માનો) ભેદ પાડવામાં આવતો નથી; [ ज्ञानानि अनेकानि भवन्ति ] તોપણ જ્ઞાનો અનેક છે. [ तस्मात् तु ] તેથી તો [ ज्ञानिभिः ] જ્ઞાનીઓએ [ द्रव्यं ] દ્રવ્યને [ विश्वरूपम् इति भणितम् ] વિશ્વરૂપ ( – અનેકરૂપ) કહ્યું છે.
પ્રથમ તો જ્ઞાની ( – આત્મા) જ્ઞાનથી પૃથક્ નથી; કારણ કે બન્ને એક અસ્તિત્વથી રચાયાં હોવાથી બન્નેને એકદ્રવ્યપણું છે, બન્નેના અભિન્ન પ્રદેશો હોવાથી