Panchastikay Sangrah (Gujarati). Gatha: 44.

< Previous Page   Next Page >


Page 78 of 256
PDF/HTML Page 118 of 296

 

૭૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्वयोरप्यभिन्नप्रदेशत्वेनैकक्षेत्रत्वात्, द्वयोरप्येकसमयनिर्वृत्तत्वेनैककालत्वात्, द्वयोरप्येकस्व-
भावत्वेनैकभावत्वात न चैवमुच्यमानेप्येकस्मिन्नात्मन्याभिनिबोधिकादीन्यनेकानि ज्ञानानि
विरुध्यन्ते, द्रव्यस्य विश्वरूपत्वात द्रव्यं हि सहक्रमप्रवृत्तानन्तगुणपर्यायाधारतयानन्त-
रूपत्वादेकमपि विश्वरूपमभिधीयत इति ।।४३।।
जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे
दव्वाणंतियमधवा दव्वाभावं पकुव्वंति ।।४४।।
यदि भवति द्रव्यमन्यद्गुणतश्च गुणाश्च द्रव्यतोऽन्ये
द्रव्यानन्त्यमथवा द्रव्याभावं प्रकुर्वन्ति ।।४४।।

द्रव्यस्य गुणेभ्यो भेदे, गुणानां च द्रव्याद्भेदे दोषोपन्यासोऽयम् બન્નેને એકક્ષેત્રપણું છે, બન્ને એક સમયે રચાતાં હોવાથી બન્નેને એકકાળપણું છે, બન્નેનો એક સ્વભાવ હોવાથી બન્નેને એકભાવપણું છે. પરંતુ આમ કહેવામાં આવતું હોવા છતાં, એક આત્મામાં આભિનિબોધિક (મતિ) આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતાં નથી, કારણ કે દ્રવ્ય વિશ્વરૂપ છે. દ્રવ્ય ખરેખર સહવર્તી અને ક્રમવર્તી એવા અનંત ગુણો અને પર્યાયોનો આધાર હોવાને લીધે અનંતરૂપવાળું હોવાથી, એક હોવા છતાં પણ, *વિશ્વરૂપ કહેવાય છે. ૪૩.

જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણ અન્ય માનો દ્રવ્યથી,
તો થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. ૪૪.

અન્વયાર્થ[ यदि ] જો [ द्रव्यं ] દ્રવ્ય [ गुणतः ] ગુણથી [ अन्यत् च भवति ] અન્ય (ભિન્ન) હોય [ गुणाः च ] અને ગુણો [ द्रव्यतः अन्ये ] દ્રવ્યથી અન્ય હોય તો [ द्रव्यानन्त्यम् ] દ્રવ્યની અનંતતા થાય [ अथवा ] અથવા [ द्रव्याभावं ] દ્રવ્યનો અભાવ [ प्रकुर्वन्ति ] થાય.

ટીકાદ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દોષ આવે છે તેનું આ કથન છે. *વિશ્વરૂપ=અનેકરૂપ. [એક દ્રવ્ય સહવર્તી અનંત ગુણોનો અને ક્રમવર્તી અનંત પર્યાયોનો આધાર

હોવાને લીધે અનંતરૂપવાળું પણ છે તેથી તેને વિશ્વરૂપ (અનેકરૂપ) પણ કહેવામાં આવે છે. માટે
એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવામાં વિરોધ નથી.]