समर्थत्वादचेतयमानोऽचेतन एव स्यात् । ज्ञानञ्च यदि ज्ञानिनोऽर्थान्तरभूतं तदा तत्कर्त्रंशमन्तरेण देवदत्तरहितपरशुवत्तत्कर्तृत्वव्यापारासमर्थत्वादचेतयमानमचेतनमेव स्यात् । न च ज्ञानज्ञानिनोर्युतसिद्धयोस्संयोगेन चेतनत्वं द्रव्यस्य निर्विशेषस्य गुणानां निराश्रयाणां शून्यत्वादिति ।।४८।।
ટીકાઃ — દ્રવ્ય અને ગુણોને અર્થાંતરપણું હોય તો આ (નીચે પ્રમાણે) દોષ આવે.
જો જ્ઞાની ( – આત્મા) જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો (આત્મા) પોતાના કરણ- અંશ વિના, કુહાડી વિનાના દેવદત્તની માફક, ૧કરણનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહિ ચેતતો ( – જાણતો) થકો અચેતન જ હોય. અને જો જ્ઞાન જ્ઞાનીથી ( – આત્માથી) અર્થાંતરભૂત હોય તો જ્ઞાન તેના કર્તૃ-અંશ વિના, દેવદત્ત વિનાની કુહાડીની માફક, તેના ૨કર્તાનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહિ ચેતતું ( – જાણતું) થકું અચેતન જ હોય. વળી ૩યુતસિદ્ધ એવાં જ્ઞાન અને જ્ઞાનીને (જ્ઞાન અને આત્માને) સંયોગથી ચેતનપણું હોય એમ પણ નથી, કારણ કે નિર્વિશેષ દ્રવ્ય અને નિરાશ્રય ગુણો શૂન્ય હોય. ૪૮. ૧. કરણનો વ્યાપાર = સાધનનું કાર્ય. [આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે. જો આત્મા જ્ઞાનથી ભિન્ન
૨. કર્તાનો વ્યાપાર = કર્તાનું કાર્ય. [જ્ઞાન કરણ છે અને આત્મા કર્તા છે. જો જ્ઞાન આત્માથી ભિન્ન
૩. યુતસિદ્ધ = જોડાઈને સિદ્ધ થયેલ; સમવાયથી – સંયોગથી સિદ્ધ થયેલ. [જેમ લાકડી અને માણસ જુદાં