समवायस्य पदार्थान्तरत्वनिरासोऽयम् । વચન અજ્ઞાનની સાથે એકત્વને અવશ્ય સિદ્ધ કરે છે જ. અને એ રીતે અજ્ઞાનની સાથે એકત્વ સિદ્ધ થતાં જ્ઞાનની સાથે પણ એકત્વ અવશ્ય સિદ્ધ થાય છે.
પ્રશ્નઃ — છદ્મસ્થદશામાં જીવને માત્ર અલ્પજ્ઞાન જ હોય છે અને કેવળીદશામાં તો પરિપૂર્ણ જ્ઞાન — કેવળજ્ઞાન થાય છે; માટે ત્યાં તો કેવળીભગવાનને જ્ઞાનનો સમવાય ( – કેવળજ્ઞાનનો સંયોગ) થયો ને?
ઉત્તરઃ — ના, એમ નથી. જીવને અને જ્ઞાનગુણને સદાય એકત્વ છે, અભિન્નતા છે. છદ્મસ્થદશામાં પણ તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે કેવળજ્ઞાન હોય છે. કેવળીદશામાં, તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે રહેલું કેવળજ્ઞાન વ્યક્ત થાય છે; કેવળજ્ઞાન ક્યાંય બહારથી આવીને કેવળીભગવાનના આત્મા સાથે સમવાય પામે છે એમ નથી. છદ્મસ્થદશામાં અને કેવળીદશામાં જે જ્ઞાનનો તફાવત જણાય છે તે માત્ર શક્તિ-વ્યક્તિરૂપ તફાવત સમજવો. ૪૯.
અન્વયાર્થઃ — [ समवर्तित्वं समवायः ] સમવર્તીપણું તે સમવાય છે; [ अपृथग्भूतत्वम् ] તે જ, અપૃથક્પણું [ च ] અને [ अयुतसिद्धत्वम् ] અયુતસિદ્ધપણું છે. [ तस्मात् ] તેથી [ द्रव्यगुणानाम् ] દ્રવ્ય અને ગુણોની [ अयुता सिद्धिः इति ] અયુતસિદ્ધિ [ निर्दिष्टा ] (જિનોએ) કહી છે.