Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 91 of 256
PDF/HTML Page 131 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૯૧
एवं सतो विनाशोऽसतो जीवस्य भवत्युत्पादः
इति जिनवरैर्भणितमन्योऽन्यविरुद्धमविरुद्धम् ।।५४।।
जीवस्य भाववशात्सादिसनिधनत्वेऽनाद्यनिधनत्वे च विरोधपरिहारोऽयम्
एवं हि पञ्र्चभिर्भावैः स्वयं परिणममानस्यास्य जीवस्य कदाचिदौदयिकेनैकेन

मनुष्यत्वादिलक्षणेन भावेन सतो विनाशस्तथापरेणौदयिकेनैव देवत्वादिलक्षणेन भावेन असत उत्पादो भवत्येव एतच्च ‘न सतो विनाशो नासत उत्पाद’ इति पूर्वोक्त सूत्रेण सह विरुद्धमपि न विरुद्धम्; यतो जीवस्य द्रव्यार्थिकनयादेशेन न सत्प्रणाशो नासदुत्पादः, तस्यैव पर्यायार्थिकनयादेशेन सत्प्रणाशोऽसदुत्पादश्च न चैतदनुपपन्नम्, नित्ये जले कल्लोलानामनित्यत्वदर्शनादिति ।।५४।।

અન્વયાર્થ[ एवं ] એ રીતે [ जीवस्य ] જીવને [ सतः विनाशः ] સત્નો વિનાશ અને [ असतः उत्पादः ] અસત્નો ઉત્પાદ [ भवति ] હોય છે[ इति ] એવું [ जिनवरैः भणितम् ] જિનવરોએ કહ્યું છે, [ अन्योऽन्यविरुद्धम् ] કે જે અન્યોન્ય વિરુદ્ધ (૧૯મી ગાથાના કથન સાથે વિરોધવાળું) છતાં [ अविरुद्धम् ] અવિરુદ્ધ છે.

ટીકાઆ, જીવને ભાવવશાત્ (ઔદયિકાદિ ભાવોને લીધે) સાદિ-સાંતપણું અને અનાદિ-અનંતપણું હોવામાં વિરોધનો પરિહાર છે.

એ રીતે ખરેખર પાંચ ભાવોરૂપે સ્વયં પરિણમતા આ જીવને કદાચિત્ ઔદયિક એવા એક મનુષ્યત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ સત્નો વિનાશ અને ઔદયિક જ એવા બીજા દેવત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ અસત્નો ઉત્પાદ થાય છે જ. અને આ (કથન) ‘સત્નો વિનાશ નથી ને અસત્નો ઉત્પાદ નથી’ એવા પૂર્વોક્ત સૂત્રની (૧૯મી ગાથાની) સાથે વિરોધવાળું હોવા છતાં (ખરેખર) વિરોધવાળું નથી; કારણ કે જીવને દ્રવ્યાર્થિકનયના કથનથી સત્નો નાશ નથી ને અસત્નો ઉત્પાદ નથી તથા તેને જ પર્યાયાર્થિકનયના કથનથી સત્નો નાશ છે અને અસત્નો ઉત્પાદ છે. અને +અનુપપન્ન નથી, કેમ કે નિત્ય એવા જળમાં કલ્લોલોનું અનિત્યપણું જોવામાં આવે છે. +અનુપપન્ન = અયુક્ત; અસંગત; અઘટિત; ન બની શકે એવું.