यथा हि जलराशेर्जलराशित्वेनासदुत्पादं सदुच्छेदं चाननुभवतश्चतुर्भ्यः ककुब्वि- भागेभ्यः क्रमेण वहमानाः पवमानाः कल्लोलानामसदुत्पादं सदुच्छेदं च कुर्वन्ति, तथा जीवस्यापि जीवत्वेन सदुच्छेदमसदुत्पत्तिं चाननुभवतः क्रमेणोदीयमानाः नारकतिर्यङ्मनुष्य- देवनामप्रकृतयः सदुच्छेदमसदुत्पादं च कुर्वन्तीति ।।५५।।
જેમ સમુદ્રપણે અસત્નો ઉત્પાદ અને સત્નો ઉચ્છેદ નહિ અનુભવતા એવા સમુદ્રને ચાર દિશાઓમાંથી ક્રમે વહેતા પવનો કલ્લોલોસંબંધી અસત્નો ઉત્પાદ અને સત્નો ઉચ્છેદ કરે છે (અર્થાત્ અવિદ્યમાન તરંગના ઉત્પાદમાં અને વિદ્યમાન તરંગના નાશમાં નિમિત્ત બને છે), તેમ જીવપણે સત્નો ઉચ્છેદ અને અસત્નો ઉત્પાદ નહિ અનુભવતા એવા જીવને ક્રમે ઉદય પામતી નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ નામની (નામકર્મની) પ્રકૃતિઓ (ભાવોસંબંધી, પર્યાયોસંબંધી) સત્નો ઉચ્છેદ અને અસત્નો ઉત્પાદ કરે છે (અર્થાત્ વિદ્યમાન પર્યાયના નાશમાં અને અવિદ્યમાન પર્યાયના ઉત્પાદમાં નિમિત્ત બને છે). ૫૫.
અન્વયાર્થઃ — [ उदयेन ] ઉદયથી યુક્ત, [ उपशमेन ] ઉપશમથી યુક્ત, [ क्षयेण ] ક્ષયથી યુક્ત, [ द्वाभ्यां मिश्रिताभ्यां ] ક્ષયોપશમથી યુક્ત [ च ] અને [ परिणामेन युक्ताः ] પરિણામથી યુક્ત — [ ते ] એવા [ जीवगुणाः ] (પાંચ) જીવગુણો ( – જીવના ભાવો) છે; [ च ] અને [ बहुषु अर्थेषु विस्तीर्णाः ] તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે.