Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 96 of 256
PDF/HTML Page 136 of 296

 

૯૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्रव्यकर्मणां निमित्तमात्रत्वेनौदयिकादिभावकर्तृत्वमत्रोक्त म्
न खलु कर्मणा विना जीवस्योदयोपशमौ क्षयक्षयोपशमावपि विद्येते; ततः क्षायिक-

क्षायोपशमिकश्चौदयिकौपशमिकश्च भावः कर्मकृतोऽनुमन्तव्यः पारिणामिकस्त्वनादिनिधनो निरुपाधिः स्वाभाविक एव क्षायिकस्तु स्वभावव्यक्ति रूपत्वादनन्तोऽपि कर्मणः क्षयेणोत्पद्य- मानत्वात्सादिरिति कर्मकृत एवोक्त : औपशमिकस्तु कर्मणामुपशमे समुत्पद्यमानत्वादनुपशमे समुच्छिद्यमानत्वात् कर्मकृत एवेति

अथवा उदयोपशमक्षयक्षयोपशमलक्षणाश्चतस्रो द्रव्यकर्मणामेवावस्थाः, न पुनः परि- णामलक्षणैकावस्थस्य जीवस्य; तत उदयादिसञ्जातानामात्मनो भावानां निमित्तमात्रभूत-

ટીકાઅહીં, (ઔદયિકાદિ ભાવોનાં) નિમિત્તમાત્ર તરીકે દ્રવ્યકર્મોને ઔદયિકાદિ ભાવોનું કર્તાપણું કહ્યું છે.

(એક રીતે વ્યાખ્યા કરતાં) કર્મ વિના જીવને ઉદયઉપશમ તેમ જ ક્ષય ક્ષયોપશમ હોતા નથી (અર્થાત્ દ્રવ્યકર્મ વિના જીવને ઔદયિકાદિ ચાર ભાવો હોતા નથી); તેથી ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક કે ઔપશમિક ભાવ કર્મકૃત સંમત કરવો. પારિણામિક ભાવ તો અનાદિ-અનંત, *નિરુપાધિ, સ્વાભાવિક જ છે. (ઔદયિક અને ક્ષાયોપશમિક ભાવો કર્મ વિના હોતા નથી અને તેથી કર્મકૃત કહી શકાયએ વાત તો સ્પષ્ટ સમજાય એવી છે; ક્ષાયિક અને ઔપશમિક ભાવોની બાબતમાં નીચે પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવે છેઃ) ક્ષાયિક ભાવ, જોકે સ્વભાવની વ્યક્તિરૂપ (પ્રગટતારૂપ) હોવાથી અનંત (અંત વિનાનો) છે તોપણ, કર્મના ક્ષય વડે ઉત્પન્ન થતો હોવાને લીધે સાદિ છે તેથી કર્મકૃત જ કહેવામાં આવ્યો છે. ઔપશમિક ભાવ કર્મના ઉપશમે ઉત્પન્ન થતો હોવાથી અને અનુપશમે નષ્ટ થતો હોવાથી કર્મકૃત જ છે. (આમ ઔદયિકાદિ ચાર ભાવો કર્મકૃત સંમત કરવા.)

અથવા (બીજી રીતે વ્યાખ્યા કરતાં)ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમસ્વરૂપ ચાર (અવસ્થાઓ) દ્રવ્યકર્મની જ અવસ્થાઓ છે, પરિણામસ્વરૂપ એક અવસ્થાવાળા જીવની નહિ (અર્થાત્ ઉદય વગેરે અવસ્થાઓ દ્રવ્યકર્મની જ છે, પરિણામ’ જેનું સ્વરૂપ છે એવી એક અવસ્થાએ અવસ્થિત જીવનીપારિણામિક ભાવરૂપે રહેલા જીવનીતે ચાર અવસ્થાઓ નથી); તેથી ઉદયાદિક વડે ઉત્પન્ન થતા *નિરુપાધિ = ઉપાધિ વિનાનો; ઔપાધિક ન હોય એવો. (જીવનો પારિણામિક ભાવ સર્વ કર્મોપાધિથી નિરપેક્ષ હોવાને લીધે નિરુપાધિ છે.)