निश्चयेन तु न जीवभावानां कर्म कर्तृ, न कर्मणो जीवभावः । न च ते कर्तारमन्तरेण सम्भूयेते; यतो निश्चयेन जीवपरिणामानां जीवः कर्ता, कर्मपरिणामानां कर्म कर्तृ इति ।।६०।। તો કેમ બને? કારણ કે નિશ્ચયનયથી આત્મા પોતાના ભાવને છોડીને બીજું કાંઈ પણ કરતો નથી.
અન્વયાર્થઃ — [ भावः कर्मनिमित्तः ] જીવભાવનું કર્મ નિમિત્ત છે [ पुनः ] અને [ कर्म भावकारणं भवति ] કર્મનું જીવભાવ નિમિત્ત છે, [ न तु तेषां खलु कर्ता ] પરંતુ ખરેખર એકબીજાનાં કર્તા નથી; [ न तु कर्तारम् विना भूताः ] કર્તા વિના થાય છે એમ પણ નથી.
ટીકાઃ — આ, પૂર્વ સૂત્રમાં (૫૯મી ગાથામાં) કહેલા પૂર્વપક્ષના સમાધાનરૂપ સિદ્ધાંત છે.
વ્યવહારથી નિમિત્તમાત્રપણાને લીધે જીવભાવનું કર્મ કર્તા છે ( – ઔદયિકાદિ જીવભાવનું કર્તા દ્રવ્યકર્મ છે), કર્મનો પણ જીવભાવ કર્તા છે; નિશ્ચયથી તો જીવભાવોનું નથી કર્મ કર્તા, કર્મનો નથી જીવભાવ કર્તા. તેઓ (જીવભાવ અને દ્રવ્યકર્મ) કર્તા વિના થાય છે એમ પણ નથી; કારણ કે નિશ્ચયથી જીવપરિણામોનો જીવ કર્તા છે અને કર્મપરિણામોનું કર્મ ( – પુદ્ગલ) કર્તા છે. ૬૦.