कर्मजीवयोरन्योन्याकर्तृत्वेऽन्यदत्तफलान्योपभोगलक्षणदूषणपुरःसरः पूर्वपक्षो- ऽयम् ।।६३।। જીવની ઉપરોક્ત ક્રિયાઓ એક જ કાળે વર્તતી હોવા છતાં પણ પૌદ્ગલિક ક્રિયાને વિષે વર્તતાં પુદ્ગલનાં છ કારકો જીવકારકોથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે તથા જીવભાવરૂપ ક્રિયાને વિષે વર્તતાં જીવનાં છ કારકો પુદ્ગલકારકોથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે. ખરેખર કોઈ દ્રવ્યનાં કારકોને કોઈ અન્ય દ્રવ્યનાં કારકોની અપેક્ષા હોતી નથી. ૬૨.
અન્વયાર્થઃ — [ यदि ] જો [ कर्म ] કર્મ [ कर्म करोति ] કર્મને કરે અને [ सः आत्मा ] આત્મા [ आत्मानम् करोति ] આત્માને કરે તો [ कर्म ] કર્મ [ फलम् कथं ददाति ] આત્માને ફળ કેમ આપે [ च ] અને [ आत्मा ] આત્મા [ तस्य फलं भुङ्क्ते ] તેનું ફળ કેમ ભોગવે?
ટીકાઃ — જો કર્મ અને જીવને અન્યોન્ય અકર્તાપણું હોય, તો ‘અન્યે દીધેલું ફળ અન્ય ભોગવે’ એવો પ્રસંગ આવે; — આવો દોષ બતાવીને અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
ભાવાર્થઃ — શાસ્ત્રોમાં કહ્યું છે કે (પૌદ્ગલિક) કર્મ જીવને ફળ આપે છે અને જીવ (પૌદ્ગલિક) કર્મનું ફળ ભોગવે છે. હવે જો જીવ કર્મને કરતો જ ન હોય તો જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ કેમ આપે અને જીવ પોતાથી નહિ કરાયેલા કર્મના ફળને કેમ ભોગવે ? જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ આપે અને જીવ તે ફળ ભોગવે એ કોઈ રીતે ન્યાયયુક્ત નથી. આ રીતે, ‘કર્મ કર્મને જ કરે છે અને આત્મા આત્માને જ કરે છે’ એ વાતમાં પૂર્વોક્ત દોષ આવતો હોવાથી એ વાત ઘટતી નથી