कर्मयोग्यपुद्गला अञ्जनचूर्णपूर्णसमुद्गकन्यायेन सर्वलोकव्यापित्वाद्यत्रात्मा तत्रानानीता एवावतिष्ठन्त इत्यत्रौक्त म् ।।६४।।
— એમ અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ૬૩.
હવે સિદ્ધાંતસૂત્રો છે (અર્થાત્ હવે ૬૩મી ગાથામાં કહેલા પૂર્વપક્ષના નિરાકરણ- પૂર્વક સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી ગાથાઓ કહેવામાં આવે છે).
અન્વયાર્થઃ — [ लोकः ] લોક [ सर्वतः ] સર્વતઃ [ विविधैः ] વિવિધ પ્રકારના, [ अनन्तानन्तैः ] અનંતાનંત [ सूक्ष्मैः बादरैः च ] સૂક્ષ્મ તેમ જ બાદર [ पुद्गलकायैः ] પુદ્ગલકાયો (પુદ્ગલસ્કંધો) વડે [ अवगाढगाढनिचितः ] (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ ભરેલો છે.
ટીકાઃ — અહીં એમ કહ્યું છે કે — કર્મયોગ્ય પુદ્ગલો (કાર્માણવર્ગણારૂપ પુદ્ગલ- સ્કંધો) અંજનચૂર્ણથી (આંજણના ઝીણા ભૂકાથી) ભરેલી ડાબલીના ન્યાયે આખા લોકમાં વ્યાપેલાં છે; તેથી જ્યાં આત્મા છે ત્યાં, વિના-લાવ્યે જ (ક્યાંયથી લાવવામાં આવ્યા વિના જ), તેઓ રહેલાં છે. ૬૪.