Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 104 of 256
PDF/HTML Page 144 of 296

 

૧૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आत्मा करोति स्वभावं तत्र गताः पुद्गलाः स्वभावैः
गच्छन्ति कर्मभावमन्योन्यावगाहावगाढाः ।।६५।।
अन्याकृतकर्मसम्भूतिप्रकारोक्ति रियम्
आत्मा हि संसारावस्थायां पारिणामिकचैतन्यस्वभावमपरित्यजन्नेवानादिबन्धन-

बद्धत्वादनादिमोहरागद्वेषस्निग्धैरविशुद्धैरेव भावैर्विवर्तते स खलु यत्र यदा मोहरूपं रागरूपं द्वेषरूपं वा स्वस्य भावमारभते, तत्र तदा तमेव निमित्तीकृत्य जीवप्रदेशेषु परस्परावगाहेनानुप्रविष्टाः स्वभावैरेव पुद्गलाः कर्मभावमापद्यन्त इति ।।६५।।

અન્વયાર્થ[ आत्मा ] આત્મા [ स्वभावं ] (મોહરાગદ્વેષરૂપ) પોતાના ભાવને [ करोति ] કરે છે; [ तत्र गताः पुद्गलाः ] (ત્યારે) ત્યાં રહેલાં પુદ્ગલો [ स्वभावैः ] પોતાના ભાવોથી [ अन्योन्यावगाहावगाढाः ] જીવને વિષે (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં [ कर्मभावम् गच्छन्ति ] કર્મભાવને પામે છે.

ટીકાઅન્ય વડે કરવામાં આવ્યા વિના કર્મની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેનું આ કથન છે.

આત્મા ખરેખર સંસાર-અવસ્થામાં પારિણામિક ચૈતન્યસ્વભાવને છોડ્યા વિના જ અનાદિ બંધન વડે બદ્ધ હોવાથી અનાદિ મોહરાગદ્વેષ વડે *સ્નિગ્ધ એવા અવિશુદ્ધ ભાવોરૂપે જ વિવર્તન પામે છે (પરિણમે છે). તે (સંસારસ્થ આત્મા) ખરેખર જ્યાં અને જ્યારે મોહરૂપ, રાગરૂપ કે દ્વેષરૂપ એવા પોતાના ભાવને કરે છે, ત્યાં અને ત્યારે તે જ ભાવને નિમિત્ત કરીને પુદ્ગલો પોતાના ભાવોથી જ જીવના પ્રદેશોમાં (વિશિષ્ટતાપૂર્વક) પરસ્પર અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં કર્મભાવને પામે છે.

ભાવાર્થઆત્મા જે ક્ષેત્રે અને જે કાળે અશુદ્ધ ભાવે પરિણમે છે, તે જ ક્ષેત્રે રહેલા કાર્માણવર્ગણારૂપ પુદ્ગલસ્કંધો તે જ કાળે સ્વયં પોતાના ભાવોથી જ જીવના પ્રદેશોમાં ખાસ પ્રકારે પરસ્પર-અવગાહરૂપે પ્રવેશ્યા થકા કર્મપણાને પામે છે.

આ રીતે, જીવથી કરાયા વિના જ પુદ્ગલો સ્વયં કર્મપણે પરિણમે છે. ૬૫. *સ્નિગ્ધ = ચીકણા; ચીકાશવાળા. (મોહરાગદ્વેષ કર્મબંધના નિમિત્તભૂત હોવાને લીધે મોહરાગદ્વેષને

સ્નિગ્ધતાની ઉપમા આપવામાં આવે છે. તેથી અહીં અવિશુદ્ધ ભાવોને ‘મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ
કહ્યા છે.)