पुद्गलस्क न्धविकल्पाः कर्त्रन्तरनिरपेक्षा एवोत्पद्यन्ते, तथा स्वयोग्यजीवपरिणामोपलम्भे ज्ञाना- वरणप्रभृतिभिर्बहुभिः प्रकारैः कर्माण्यपि कर्त्रन्तरनिरपेक्षाण्येवोत्पद्यन्ते इति ।।६६।।
અન્વયાર્થઃ — [ यथा ] જેમ [ पुद्गलद्रव्याणां ] પુદ્ગલદ્રવ્યોની [ बहुप्रकारैः ] બહુ પ્રકારે [ स्कन्धनिर्वृत्तिः ] સ્કંધરચના [ परैः अकृता ] પરથી કરાયા વિના [ दृष्टा ] થતી જોવામાં આવે છે, [ तथा ] તેમ [ कर्मणां ] કર્મોની બહુપ્રકારતા [ विजानीहि ] પરથી અકૃત જાણો.
ટીકાઃ — કર્મોની વિચિત્રતા (બહુપ્રકારતા) અન્ય વડે કરવામાં આવતી નથી એમ અહીં કહ્યું છે.
જેમ પોતાને યોગ્ય ચંદ્ર-સૂર્યના પ્રકાશની ઉપલબ્ધિ હોતાં, સંધ્યા-વાદળાં-ઇંદ્રધનુષ- પ્રભામંડળ ઇત્યાદિ ઘણા પ્રકારે પુદ્ગલસ્કંધભેદો અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે છે, તેમ પોતાને યોગ્ય જીવ-પરિણામની ઉપલબ્ધિ હોતાં, જ્ઞાનાવરણાદિ ઘણા પ્રકારે કર્મો પણ અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે છે.
ભાવાર્થઃ — કર્મોની વિવિધ પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ-અનુભાગરૂપ વિચિત્રતા પણ જીવકૃત નથી, પુદ્ગલકૃત જ છે. ૬૬. પં. ૧૪