निश्चयेनात्मभावस्य कर्ता, व्यवहारेण कर्मण इति । यथात्रोभयनयाभ्यां कर्म कर्तृ, तथैकेनापि नयेन न भोक्तृ । कुतः ? चैतन्यपूर्वकानुभूतिसद्भावाभावात् । ततश्चेतनत्वात्
અન્વયાર્થઃ — [ तस्मात् ] તેથી [ अथ जीवस्य भावेन हि संयुतम् ] જીવના ભાવથી સંયુક્ત એવું [ कर्म ] કર્મ (દ્રવ્યકર્મ) [ कर्तृ ] કર્તા છે ( – નિશ્ચયથી પોતાનું કર્તા અને વ્યવહારથી જીવભાવનું કર્તા; પરંતુ તે ભોક્તા નથી). [ भोक्ता तु ] ભોક્તા તો [ जीवः भवति ] (માત્ર) જીવ છે [ चेतकभावेन ] ચેતકભાવને લીધે [ कर्मफलम् ] કર્મફળનો.
તેથી (પૂર્વોક્ત કથનથી) એમ નક્કી થયું કે — કર્મ નિશ્ચયથી પોતાનું કર્તા છે, વ્યવહારથી જીવભાવનું કર્તા છે; જીવ પણ નિશ્ચયથી પોતાના ભાવનો કર્તા છે, વ્યવહારથી કર્મનો કર્તા છે.
જેમ અહીં બંને નયોથી કર્મ કર્તા છે, તેમ એક પણ નયથી તે ભોક્તા નથી. શા કારણે? કારણ કે તેને *ચૈતન્યપૂર્વક અનુભૂતિનો સદ્ભાવ નથી. તેથી ચેતનપણાને *જે અનુભૂતિ ચૈતન્યપૂર્વક હોય તેને જ અહીં ભોક્તૃત્વ કહેલ છે, તે સિવાયની અનુભૂતિને નહિ.