स खलु जीवो महात्मा नित्यचैतन्योपयुक्त त्वादेक एव, ज्ञानदर्शनभेदाद्दिव- विकल्पः, कर्मफलकार्यज्ञानचेतनाभेदेन लक्ष्यमाणत्वात्र्रिलक्षणः ध्रौव्योत्पादविनाश- भेदेन वा, चतसृषु गतिषु चङ्क्रमणत्वाच्चतुश्चङ्क्रमणः, पञ्र्चभिः पारिणामिकौदयिकादि- भिरग्रगुणैः प्रधानत्वात्पञ्चाग्रगुणप्रधानः, चतसृषु दिक्षूर्ध्वमधश्चेति भवान्तरसङ्क्रमण- षटकेनापक्रमेण युक्त त्वात्षटकापक्रमयुक्त :, अस्तिनास्त्यादिभिः सप्तभंगैः सद्भावो यस्येति सप्तभङ्गसद्भावः, अष्टानां कर्मणां गुणानां वा आश्रयत्वादष्टाश्रयः, नवपदार्थरूपेण वर्तनान्नवार्थः, पृथिव्यप्तेजोवायुवनस्पतिसाधारणप्रत्येकद्वित्रिचतुःपञ्र्चेन्द्रियरूपेषु दशसु स्थानेषु गतत्वाद्दशस्थानग इति ।।७१ – ७२।।
નવ-અર્થરૂપ અને [ दशस्थानगः ] દશસ્થાનગત [ भणितः ] કહેવામાં આવ્યો છે.
ટીકાઃ — તે જીવ મહાત્મા (૧) ખરેખર નિત્યચૈતન્ય-ઉપયોગી હોવાથી ‘એક જ’ છે; (૨) જ્ઞાન ને દર્શન એવા ભેદોને લીધે ‘બે ભેદવાળો’ છે; (૩) કર્મફળચેતના, કાર્યચેતના ને જ્ઞાનચેતના એવા ભેદો વડે અથવા ધ્રૌવ્ય, ઉત્પાદ ને વિનાશ એવા ભેદો વડે લક્ષિત હોવાથી ‘ત્રિલક્ષણ (ત્રણ લક્ષણવાળો)’ છે; (૪) ચાર ગતિમાં ભમતો હોવાથી ‘ચતુર્વિધ ભ્રમણવાળો’ છે; (૫) પારિણામિક, ઔદયિક ઇત્યાદિ પાંચ મુખ્ય ગુણો વડે પ્રધાનપણું હોવાથી ‘પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો’ છે; (૬) ચાર દિશાઓમાં, ઊંચે અને નીચે એમ ષડ્વિધ ભવાંતરગમનરૂપ અપક્રમથી યુક્ત હોવાથી (અર્થાત્ અન્ય ભવમાં જતાં ઉપરોક્ત છ દિશાઓમાં ગમન થતું હોવાથી) ‘છ અપક્રમ સહિત’ છે; (૭) અસ્તિ, નાસ્તિ આદિ સાત ભંગો વડે જેનો સદ્ભાવ છે એવો હોવાથી ‘સાત ભંગપૂર્વક સદ્ભાવવાળો’ છે; (૮) (જ્ઞાનાવરણીયાદિ) આઠ કર્મોના અથવા (સમ્યક્ત્વાદિ) આઠ ગુણોના આશ્રયભૂત હોવાથી ‘આઠના આશ્રયરૂપ’ છે; (૯) નવ પદાર્થરૂપે વર્તતો હોવાથી ‘નવ-અર્થરૂપ’ છે; (૧૦) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી ‘દશસ્થાનગત’ છે. ૭૧ – ૭૨.