स्पर्शो वर्तते । एवमयमुक्त गुणवृत्तिः परमाणुः शब्दस्कंधपरिणतिशक्ति स्वभावात् शब्दकारणम् ।
કોઈ એક (રસપર્યાય) સહિત રસ વર્તે છે; પાંચ વર્ણપર્યાયોમાંથી એક વખતે કોઈ એક (વર્ણપર્યાય) સહિત વર્ણ વર્તે છે; બે ગંધપર્યાયોમાંથી એક વખતે કોઈ એક (ગંધપર્યાય) સહિત ગંધ વર્તે છે; શીત-સ્નિગ્ધ, શીત-રૂક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ ને ઉષ્ણ-રૂક્ષ એ ચાર સ્પર્શપર્યાયોનાં જોડકાંમાંથી એક વખતે કોઈ એક જોડકા સહિત સ્પર્શ વર્તે છે. આ પ્રમાણે જેમાં ગુણોનું વર્તવું ( – અસ્તિત્વ) કહેવામાં આવ્યું એવો આ પરમાણુ શબ્દસ્કંધરૂપે પરિણમવાની શક્તિરૂપ સ્વભાવવાળો હોવાથી શબ્દનું કારણ છે; એકપ્રદેશી હોવાને લીધે શબ્દપર્યાયરૂપ પરિણતિ નહિ વર્તતી હોવાથી અશબ્દ છે; અને ૧સ્નિગ્ધ-રૂક્ષત્વના કારણે બંધ થવાને લીધે અનેક પરમાણુઓની એકત્વપરિણતિરૂપ સ્કંધની અંદર રહ્યો હોય તોપણ સ્વભાવને નહિ છોડતો થકો, સંખ્યાને પ્રાપ્ત હોવાથી (અર્થાત્ પરિપૂર્ણ એક તરીકે જુદો ગણતરીમાં આવતો હોવાથી) ૨એકલો જ દ્રવ્ય છે. ૮૧.
અન્વયાર્થઃ — [ इन्द्रियैः उपभोग्यम् च ] ઇન્દ્રિયો વડે ઉપભોગ્ય વિષયો, [ इन्द्रियकायाः ] ઇન્દ્રિયો, શરીરો, [ मनः ] મન, [ कर्माणि ] કર્મો [ च ] અને [ अन्यत् यत् ] ૧. સ્નિગ્ધ-રૂક્ષત્વ = ચીકાશ અને લૂખાશ ૨. અહીં એમ બતાવ્યું છે કે સ્કંધને વિષે પણ પ્રત્યેક પરમાણુ સ્વયં પરિપૂર્ણ છે, સ્વતંત્ર છે, પરની