गतिक्रियायुक्तानामुदकवत्कारणभूतः, एषः पुनः स्थितिक्रियायुक्तानां पृथिवीवत्कारणभूतः । ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મ (ધર્માસ્તિકાય) પણ પોતે ગમન નહિ કરતો થકો અને (પરને) ગમન નહિ કરાવતો થકો, સ્વયમેવ ગમન કરતાં જીવ-પુદ્ગલોને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે ગમનમાં *અનુગ્રહ કરે છે. ૮૫.
અન્વયાર્થઃ — [ यथा ] જેમ [ धर्मद्रव्यं भवति ] ધર્મદ્રવ્ય છે [ तथा ] તેમ [ अधर्माख्यम् द्रव्यम् ] અધર્મ નામનું દ્રવ્ય પણ [ जानीहि ] જાણો; [ तत् तु ] પરંતુ તે (ગતિક્રિયા- યુક્તને કારણભૂત હોવાને બદલે) [ स्थितिक्रियायुक्तानाम् ] સ્થિતિક્રિયાયુક્તને [ पृथिवी इव ] પૃથ્વીની માફક [ कारणभूतम् ] કારણભૂત છે (અર્થાત્ સ્થિતિક્રિયાપરિણત જીવ-પુદ્ગલોને નિમિત્તભૂત છે).
જેમ ધર્મનું પ્રજ્ઞાપન કરવામાં આવ્યું, તેમ અધર્મનું પણ પ્રજ્ઞાપન કરવાયોગ્ય છે. પરંતુ આ (નીચે પ્રમાણે) તફાવત છેઃ પેલો ( – ધર્માસ્તિકાય) ગતિક્રિયાયુક્તને પાણીની માફક કારણભૂત છે અને આ ( – અધર્માસ્તિકાય) સ્થિતિક્રિયાયુક્તને પૃથ્વીની માફક કારણભૂત છે. જેમ પૃથ્વી પોતે પહેલેથી જ સ્થિતિરૂપે ( – સ્થિર) વર્તતી થકી અને પરને *ગમનમાં અનુગ્રહ કરવો એટલે ગમનમાં ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ (નિમિત્તરૂપ) કારણ-