विनाभूतसहायकारणमात्रत्वेन स्थितिमनुगृह्णाति, तथाऽधर्मोऽपि स्वयं पूर्वमेव तिष्ठन्
परमस्थापयंश्च स्वयमेव तिष्ठतां जीवपुद्गलानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन स्थिति-
मनुगृह्णातीति ।।८६।।
સ્થિતિ ( – સ્થિરતા) નહિ કરાવતી થકી, સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમતા અશ્વાદિકને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે, તેમ અધર્મ (અધર્માસ્તિકાય) પણ પોતે પહેલેથી જ સ્થિતિરૂપે વર્તતો થકો અને પરને સ્થિતિ નહિ કરાવતો થકો, સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમતાં જીવ-પુદ્ગલોને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે. ૮૬.
અન્વયાર્થઃ — [ गमनस्थिती ] (જીવ-પુદ્ગલની) ગતિ-સ્થિતિ [ च ] તથા [ अलोक- लोकं ] અલોક ને લોકનો વિભાગ, [ ययोः सद्भावतः ] તે બે દ્રવ્યોના સદ્ભાવથી [ जातम् ] થાય છે. [ च ] વળી [ द्वौ अपि ] તે બંને [ विभक्तौ ] વિભક્ત, [ अविभक्तौ ] અવિભક્ત [ च ] અને [ लोकमात्रौ ] લોકપ્રમાણ [ मतौ ] કહેવામાં આવ્યાં છે.
ટીકાઃ — આ, ધર્મ અને અધર્મના સદ્ભાવની સિદ્ધિ માટે હેતુ દર્શાવવામાં આવ્યો છે.
ધર્મ અને અધર્મ વિદ્યમાન છે, કારણ કે લોક અને અલોકનો વિભાગ અન્યથા બની શકે નહિ. જીવાદિ સર્વ પદાર્થોના એકત્ર-અસ્તિત્વરૂપ લોક છે; શુદ્ધ એક આકાશના