वृत्तिः केन वार्येत । ततो न लोकालोकविभागः सिध्येत । धर्माधर्मयोस्तु जीव-
इति । किञ्च धर्माधर्मौ द्वावपि परस्परं पृथग्भूतास्तित्वनिर्वृत्तत्वाद्विभक्तौ । एक-
અસ્તિત્વરૂપ અલોક છે. ત્યાં, જીવ અને પુદ્ગલ સ્વરસથી જ (સ્વભાવથી જ) ગતિપરિણામને તથા ગતિપૂર્વક સ્થિતિપરિણામને પ્રાપ્ત હોય છે. જો ગતિપરિણામ અથવા ગતિપૂર્વક સ્થિતિપરિણામને સ્વયં અનુભવતાં એવાં તે જીવ-પુદ્ગલને બહિરંગ હેતુઓ ધર્મ અને અધર્મ ન હોય, તો જીવ-પુદ્ગલને *નિરર્ગળ ગતિપરિણામ અને સ્થિતિપરિણામ થવાથી અલોકમાં પણ તેમનું (જીવ-પુદ્ગલનું) હોવું કોનાથી વારી શકાય? (કોઈથી ન જ વારી શકાય.) તેથી લોક અને અલોકનો વિભાગ સિદ્ધ ન થાય. પરંતુ જો જીવ- પુદ્ગલની ગતિના અને ગતિપૂર્વક સ્થિતિના બહિરંગ હેતુઓ તરીકે ધર્મ અને અધર્મનો સદ્ભાવ સ્વીકારવામાં આવે તો લોક અને અલોકનો વિભાગ (સિદ્ધ) થાય છે. (માટે ધર્મ અને અધર્મ વિદ્યમાન છે.) વળી (તેમના વિષે વિશેષ હકીકત એ છે કે), ધર્મ અને અધર્મ બંને પરસ્પર પૃથગ્ભૂત અસ્તિત્વથી નિષ્પન્ન હોવાથી વિભક્ત (ભિન્ન) છે; એકક્ષેત્રાવગાહી હોવાથી અવિભક્ત (અભિન્ન) છે; સમસ્ત લોકમાં વર્તનારાં જીવ- પુદ્ગલને ગતિસ્થિતિમાં નિષ્ક્રિયપણે અનુગ્રહ કરતા હોવાથી ( – નિમિત્તરૂપ થતા હોવાથી) લોકપ્રમાણ છે. ૮૭.
*નિરર્ગળ=નિરંકુશ; અમર્યાદ.