हेतुत्वमधर्मः । तौ हि परेषां गतिस्थित्योर्यदि मुख्यहेतू स्यातां तदा येषां गतिस्तेषां गतिरेव, न स्थितिः, येषां स्थितिस्तेषां स्थितिरेव, न गतिः । तत एकेषामपि गतिस्थितिदर्शनादनुमीयते न तौ तयोर्मुख्यहेतू । कि न्तु व्यवहारनयव्यवस्थापितौ उदासीनौ । कथमेवं गतिस्थितिमतां पदार्थानां गतिस्थिती भवत इति चेत्, सर्वे
અન્વયાર્થઃ — [ येषां गमनं विद्यते ] (ધર્મ-અધર્મ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુઓ નથી, કારણ કે) જેમને ગતિ હોય છે [ तेषाम् एव पुनः स्थानं सम्भवति ] તેમને જ વળી સ્થિતિ થાય છે (અને જેમને સ્થિતિ હોય છે તેમને જ વળી ગતિ થાય છે). [ ते तु ] તેઓ (ગતિસ્થિતિમાન પદાર્થો) તો [ स्वकपरिणामैः ] પોતાના પરિણામોથી [ गमनं स्थानं च ] ગતિ અને સ્થિતિ [ कुर्वन्ति ] કરે છે.
ટીકાઃ — આ, ધર્મ અને અધર્મના ઉદાસીનપણાની બાબતમાં હેતુ કહેવામાં આવ્યો છે.
ખરેખર (નિશ્ચયથી) ધર્મ જીવ-પુદ્ગલોને કદી ગતિહેતુ થતો નથી, અધર્મ કદી સ્થિતિહેતુ થતો નથી; કારણ કે તેઓ પરને ગતિસ્થિતિના જો મુખ્ય હેતુ (નિશ્ચયહેતુ) થાય, તો જેમને ગતિ હોય તેમને ગતિ જ રહેવી જોઈએ, સ્થિતિ ન થવી જોઈએ, અને જેમને સ્થિતિ હોય તેમને સ્થિતિ જ રહેવી જોઈએ, ગતિ ન થવી જોઈએ. પરંતુ એકને જ ( – તેના તે જ પદાર્થને) ગતિ અને સ્થિતિ થતી જોવામાં આવે છે; તેથી અનુમાન થઈ શકે છે કે તેઓ (ધર્મ-અધર્મ) ગતિ-સ્થિતિના મુખ્ય હેતુ નથી, પરંતુ વ્યવહારનયસ્થાપિત (વ્યવહારનય વડે સ્થાપવામાં — કહેવામાં આવેલા) ઉદાસીન હેતુ છે.
પ્રશ્નઃ — એ પ્રમાણે હોય તો ગતિસ્થિતિમાન પદાર્થોને ગતિસ્થિતિ કઈ રીતે થાય છે?