Panchastikay Sangrah (Gujarati). Aakashdravyastikay Vyakhyan Gatha: 90.

< Previous Page   Next Page >


Page 136 of 256
PDF/HTML Page 176 of 296

 

૧૩
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
हि गतिस्थितिमन्तः पदार्थाः स्वपरिणामैरेव निश्चयेन गतिस्थिती कुर्वन्तीति ।।८९।।
इति धर्माधर्मद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्
अथ आकाशद्रव्यास्तिकायव्याख्यानम्
सव्वेसिं जीवाणं सेसाणं तह य पोग्गलाणं च
जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं ।।९०।।
सर्वेषां जीवानां शेषाणां तथैव पुद्गलानां च
यद्ददाति विवरमखिलं तल्लोके भवत्याकाशम् ।।९०।।
आकाशस्वरूपाख्यानमेतत
षड्द्रव्यात्मके लोके सर्वेषां शेषद्रव्याणां यत्समस्तावकाशनिमित्तं विशुद्धक्षेत्ररूपं

ઉત્તરઃખરેખર સમસ્ત ગતિસ્થિતિમાન પદાર્થો પોતાના પરિણામોથી જ નિશ્ચયે ગતિસ્થિતિ કરે છે. ૮૯.

આ રીતે ધર્મદ્રવ્યાસ્તિકાય અને અધર્મદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે આકાશદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
જે લોકમાં જીવ-પુદ્ગલોને, શેષ દ્રવ્ય સમસ્તને
અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦.

અન્વયાર્થઃ[ लोके ] લોકમાં [ जीवानाम् ] જીવોને [ च ] અને [ पुद्गलानाम् ] પુદ્ગલોને [ तथा एव ] તેમ જ [ सर्वेषाम् शेषाणाम् ] બધાં બાકીનાં દ્રવ્યોને [ यद् ] જે [ अखिलं विवरं ] સંપૂર્ણ અવકાશ [ ददाति ] આપે છે, [ तद् ] તે [ आकाशम् भवति ] આકાશ છે.

ટીકાઃઆ, આકાશના સ્વરૂપનું કથન છે.

ષટ્દ્રવ્યાત્મક લોકમાં *બધાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરા અવકાશનું નિમિત્ત છે, *નિશ્ચયનયે નિત્યનિરંજન-જ્ઞાનમય પરમાનંદ જેમનું એક લક્ષણ છે એવા અનંતાનંત જીવો, તેમનાથી અનંતગુણાં પુદ્ગલો, અસંખ્ય કાળાણુઓ અને અસંખ્યપ્રદેશી ધર્મ તથા અધર્મએ બધાંય દ્રવ્યો

વિશિષ્ટ અવગાહગુણ વડે લોકાકાશમાંજોકે તે લોકાકાશ માત્ર અસંખ્યપ્રદેશી જ છે તોપણ
અવકાશ મેળવે છે.