नास्तीति निश्चेतव्यम् । लोकालोकावच्छेदकौ धर्माधर्मावेव गतिस्थितिहेतू मन्तव्याविति ।।९३।।
[ उपरिस्थानं ] લોકના ઉપર સ્થિતિ [ प्रज्ञप्तम् ] કહી છે, [ तस्मात् ] તેથી [ गमनस्थानम् आकाशे न अस्ति ] ગતિ-સ્થિતિ આકાશમાં હોતી નથી (અર્થાત્ ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી) [ इति जानीहि ] એમ જાણો.
જેથી સિદ્ધભગવંતો ગમન કરીને લોકના ઉપર સ્થિર થાય છે (અર્થાત્ લોકના ઉપર ગતિપૂર્વક સ્થિતિ કરે છે), તેથી ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી એમ નિશ્ચય કરવો; લોક અને અલોકનો વિભાગ કરનારા ધર્મ તથા અધર્મને જ ગતિ તથા સ્થિતિના હેતુ માનવા. ૯૩.
અન્વયાર્થઃ — [ यदि ] જો [ आकाशं ] આકાશ [ तेषाम् ] જીવ-પુદ્ગલોને [ गमन- हेतुः ] ગતિહેતુ અને [ स्थानकारणं ] સ્થિતિહેતુ [ भवति ] હોય તો [ अलोकहानिः ] અલોકની હાનિનો [ च ] અને [ लोकस्य अन्तपरिवृद्धिः ] લોકના અંતની વૃદ્ધિનો [ प्रसजति ] પ્રસંગ આવે.
ટીકાઃ — અહીં, આકાશને ગતિસ્થિતિહેતુત્વનો અભાવ હોવા વિષે હેતુ રજૂ કરવામાં આવ્યો છે.