Panchastikay Sangrah (Gujarati). Choolika Gatha: 97.

< Previous Page   Next Page >


Page 142 of 256
PDF/HTML Page 182 of 296

 

૧૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ चूलिका
आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा
मुत्तं पोग्गलदव्वं जीवो खलु चेदणो तेसु ।।९७।।
आकाशकालजीवा धर्माधर्मौ च मूर्तिपरिहीनाः
मूर्तं पुद्गलद्रव्यं जीवः खलु चेतनस्तेषु ।।९७।।
अत्र द्रव्याणां मूर्तामूर्तत्वं चेतनाचेतनत्वं चोक्त म्
स्पर्शरसगन्धवर्णसद्भावस्वभावं मूर्तं, स्पर्शरसगन्धवर्णाभावस्वभावममूर्तम् चैतन्य-

सद्भावस्वभावं चेतनं, चैतन्याभावस्वभावमचेतनम् तत्रामूर्तमाकाशं, अमूर्तः कालः, अमूर्तः स्वरूपेण जीवः पररूपावेशान्मूर्तोऽपि, अमूर्तो धर्मः, अमूर्तोऽधर्मः, मूर्तः

હવે ચૂલિકા છે.
આત્મા અને આકાશ, ધર્મ, અધર્મ, કાળ અમૂર્ત છે,
છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય; તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭.

અન્વયાર્થઃ[ आकाशकालजीवाः ] આકાશ, કાળ, જીવ, [ धर्माधर्मौ च ] ધર્મ અને અધર્મ [ मूर्तिपरिहीनाः ] અમૂર્ત છે, [ पुद्गलद्रव्यं मूर्तं ] પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. [ तेषु ] તેમાં [ जीवः ] જીવ [ खलु ] ખરેખર [ चेतनः ] ચેતન છે.

ટીકાઃઅહીં દ્રવ્યોનું મૂર્તામૂર્તપણું (મૂર્તપણું અથવા અમૂર્તપણું) અને ચેતના- ચેતનપણું (ચેતનપણું અથવા અચેતનપણું) કહેવામાં આવ્યું છે.

સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે મૂર્ત છે; સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે તે અમૂર્ત છે. ચૈતન્યનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે ચેતન છે; ચૈતન્યનો અભાવ જેનો સ્વભાવ છે તે અચેતન છે. ત્યાં, આકાશ અમૂર્ત છે, કાળ અમૂર્ત છે, જીવ સ્વરૂપે અમૂર્ત છે, પરરૂપમાં પ્રવેશ દ્વારા (મૂર્ત દ્રવ્યના સંયોગની અપેક્ષાએ) ૧. ચૂલિકા=શાસ્ત્રમાં નહિ કહેવાઈ ગયેલાનું વ્યાખ્યાન કરવું અથવા કહેવાઈ ગયેલાનું વિશેષ વ્યાખ્યાન

કરવું અથવા બન્નેનું યથાયોગ્ય વ્યાખ્યાન કરવું તે. ૨. જીવ નિશ્ચયે અમૂર્ત-અખંડ-એકપ્રતિભાસમય હોવાથી અમૂર્ત છે, રાગાદિરહિત સહજાનંદ જેનો એક

સ્વભાવ છે એવા આત્મતત્ત્વની ભાવનારહિત જીવ વડે ઉપાર્જિત જે મૂર્ત કર્મ તેના સંસર્ગ દ્વારા
વ્યવહારે મૂર્ત પણ છે.