જીવોને સક્રિયપણાનું બહિરંગ સાધન કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્ગલો છે; તેથી જીવો પુદ્ગલકરણવાળા છે. તેના અભાવને લીધે ( – પુદ્ગલકરણના અભાવને લીધે) સિદ્ધોને નિષ્ક્રિયપણું છે (અર્થાત્ સિદ્ધોને કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્ગલોનો અભાવ હોવાથી તેઓ નિષ્ક્રિય છે.) પુદ્ગલોને સક્રિયપણાનું બહિરંગ સાધન *પરિણામનિષ્પાદક કાળ છે; તેથી પુદ્ગલો કાળકરણવાળા છે.
કર્માદિકની માફક (અર્થાત્ જેમ કર્મ-નોકર્મરૂપ પુદ્ગલોનો અભાવ થાય છે તેમ) કાળનો અભાવ હોતો નથી; તેથી સિદ્ધોની માફક (અર્થાત્ જેમ સિદ્ધોને નિષ્ક્રિયપણું હોય છે તેમ) પુદ્ગલોને નિષ્ક્રિયપણું હોતું નથી. ૯૮.
અન્વયાર્થઃ — [ ये खलु ] જે પદાર્થો [ जीवैः इन्द्रियग्राह्याः विषयाः ] જીવોના ઇન્દ્રિયગ્રાહ્ય વિષયો છે [ ते मूर्ताः भवन्ति ] તેઓ મૂર્ત છે અને [ शेषं ] બાકીનો પદાર્થસમૂહ [ अमूर्तं भवति ] અમૂર્ત છે. [ चित्तम् ] ચિત્ત [ उभयं ] તે બંનેને [ समाददाति ] ગ્રહણ કરે છે ( – જાણે છે).
ટીકાઃ — આ, મૂર્ત અને અમૂર્તનાં લક્ષણનું કથન છે. *પરિણામનિષ્પાદક=પરિણામનો નિપજાવનારો; પરિણામ નીપજવામાં જે નિમિત્તભૂત (બહિરંગ